SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંબંધ વડે કરીનેજ જીવે આ સંસારની ભવાઈ કે ભવ ભ્રમણાની ઘટમાળ સર્જી છે. હવે જો તેનાથી છૂટવું હોય, જાતને મુકત કરવી હોય તો ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ એ ચાર ગુણોને જીવનમાં વિકસાવવા જરૂરી છે. જીવની મિથ્યાત્વથી મોક્ષ સુધીની સમગ્ર યાત્રામાં નિર્ણાયક પરિબળ આ કષાયો છે. જો મોક્ષે જવું છે, જો સુખી થવું છે, જો સ્વર્ગ અને અપવર્ગના સુખો જોઈએ છે, જો જીવનમાં શાંતિ અને સમાધિ નો ખપ છે. તો એકમાત્ર રામબાણ ઇલાજ છે કષાયોને પાતળા પાળીને છેવટે તેનાથી મુકત થવાનો. કષાયથી મુકિત એટલે બંધથી મુકિત એટલે સર્વસંસારથી મુકિત OOOOOOO (અધ્યાયઃ૮-સૂત્રઃ૩) D [1] સૂત્રહેતુ- પૂર્વોકતૂ સૂત્ર માં જણાવ્યા મુજબ પુદ્ગલો ના અનેક ભેદ છે, તેમાંથી જેપુદ્ગલોમાં આઠ પ્રકારના કર્મરૂપે પરિણત થવાની યોગ્યતા હોય તેને જ સકષાયી જીવ ગ્રહણ કરે છે, અને આ રીતે કર્મવર્ગણાના ગ્રહણ ને જ બન્ધ કહે છે તે દર્શાવવા સૂત્રકારે આ સૂત્રની રચના કરી છે. D [2] સૂત્ર મૂળઃ- *વ4: [3] સૂત્ર પૃથક-સૂત્ર સ્પષ્ટ છે. પૃથક્કરણની જરૂર નથી. U [4]સૂત્રસાર -તે બંધ છે, અર્થાત્ કાર્મણ વર્ગણાના કર્મને યોગ્ય પુગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ કે લોહાગ્નિ વત્ એકમેક રૂપે સંબંધ તે જ બંધ U [5]શબ્દજ્ઞાનઃસ-તે, કષાય સંબંધ થી જીવનું કર્મને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ કરવું વર્ષ:- બન્ધ, જીવ-કર્મનું એકમેક રૂપ થવું તે U [6]અનુવૃત્તિ-સષયત્વજ્ઞીવ: વર્મો યોયાનું પુરાનગત્તેિ U [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિઅહીંવર્ધતત્વની ઓળખ આપેછે.આસ્રવતત્વની માફક બન્ધ તત્વના સ્વરૂપને જણાવવામાં પણ તેઓએ આગવી શૈલીનો ઉપયોગ કર્યો છે. જેમ વાડમન: યો; પછી સ માવ સૂત્ર મૂકીને સાવ તત્વને જણાવેલું તે જ પધ્ધતિ એ અહીં વન્ય ના સ્વરૂપને રજૂ કર્યુ છે. ૪ આત્મપ્રદેશસાથે કર્મભાવે પરિણામ પામેલા પુદ્ગલોનો સંબંધ તેને બંધ કહેવામાં આવે છે. # સ્વપજ્ઞ ભાષ્ય - Tw કર્મ શરીર પુ છતો વન્યો ભવતિ | સ - આત્મ પ્રદેશ અને કર્મ પુદ્ગલ પિણ્ડ એ બંનેનું પરસ્પર એકરૂપ થવું તે B - આજ. મતલબ અન્ય નહીં - અર્થાત્ આત્મ પ્રદેશો અને પુદ્ગલોના અન્યોન્ય ગતિ લક્ષણને જ બંધ કહ્યો છે. कर्मशरीर: कर्मैव अष्टविधं शरीरम् उक्तम् *આ સૂત્ર દિગમ્બર આમ્નાય મુજબ પૂર્વ સૂત્ર ર ની સાથે જોડાઈને એક સૂત્ર રૂપે બનેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy