SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિસ્પંદાત્મક ભાગે ચોગ થકી પ્રતિ પ્રદેશે જે-જે આત્મપ્રદેશોજે-જે આકાશ પ્રદેશોમાં હોય તેને આકાશ પ્રદેશોમાં જ રહેલી અનંતાનંત કામણ વર્ગણાઓનું પ્રત્યેક સમયે સમયે સમયે ગ્રહણ કરે છે. આ ગ્રહણ કરેલ કાર્પણ વર્ગણાઓ નીચે મુજબ મૂળ પ્રકૃત્તિ સ્વરૂપે આઠ પ્રકારના નામ યુક્ત પરિણામવાળી બનાવીને તેનો પૂર્વબાંધેલ સત્તામાં રહેલ કર્મોની સાથે સંબંધ બંધ કરે છે. આ રીતે પ્રદેશ બંધના સ્વામી અશરીરી-સંસારી જીવો જ છે. જ મૂળકર્મોમાંથતા વિભાગો અથવા ગ્રહણ કરાતીકાર્મણવર્ગણાની આઠેકર્મમાંવહેચણીઃ[૧] સૌથી થોડાં પ્રદેશો [-કાશ્મણ વર્ગણાઓ આયુષ્ય કર્મને ભાગે જાય છે. [૨]આયુષ્ય કર્મ થી વધુ પ્રદેશો નામકર્મ અને ગોત્રકર્મને ભાગે જાય છે પણ આ બંને કર્મના ભાગે આવતા પ્રદેશો સરખા હોય છે [૩]નામ-ગોત્ર કર્મથી વધારે ભાગ,જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને અંતરાય કર્મ ને ભાગે જાય છે, પરંતુ તે ત્રણેને ભાગે આવા પ્રદેશો એક સરખાં હોય છે ૪િ]જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને અંતરાય કર્મથી અધિક Èશોમોહનીય કર્મનેભાગે જાય છે. પિઅને બધાંથી અધિક ભાગ વેદનીય કર્મને મળે છે. કેમ કે તેને ઘણાં કર્મ દલિકો ઉદયમાં લાવીને સ્પષ્ટ રીતે વેદવાના હોવાથી વધારે ભાગ મળે છે તે વિના સ્પષ્ટવેદન થઈ શકે નહીં. []જયારે આયુષ્ય કર્મનો બંધ ન હોય ત્યારે સાત ભાગ ઉપર જણાવ્યા મુજબ પડે છે. [૭]દશમે ગુણસ્થાનકે આયુષ્ય અને મોહનીય બંધાતા નથી ત્યારે ગ્રહણ કરાયેલી કાર્મણ વર્ગણાના છ ભાગ પડે છે. [૮]જયારે ૧૧-૧૨-૧૩માં ગુણઠાણે એકજ કર્મ બંધાય છે. ત્યારે તે એક્લાને જબધો ભાગ મળે છે. કાર્મણ વર્ગણા ના ગ્રહણથી બંધાતી ઉત્તરપ્રકૃત્તિ ને મળતો ભાગ:(૧)જ્ઞાનાવરણ કર્મમાં૧- આવેલા ભાગમાંથી અનંતમો ભાગ કેવલ જ્ઞાનાવરણ સર્વઘાતી કર્મને મળે છે. ૨- બાકીનો ભાગ બાકીના ચાર દેશઘાતી કર્મોમાં વહેંચાય છે (૨)દર્શનાવરણ કર્મમાં - ૧-આવેલા જસ્થામાંથી અનંતમો ભાગ કેવળ દર્શનાવરણ અને પાંચ પ્રકારે નિદ્રા એ છ સર્વઘાતી કર્મોમાં વહેંચાય જાય છે. - ૨-અનંતમો ભાગ ઉપર કહ્યા મુજબ સર્વ ઘાતીમાં વહેંચાયા પછી બાકીનો બહુભાગ ચક્ષુદર્શનાવરણીય આદિ ત્રણે પ્રકૃત્તિમાં વહેંચાય જાય છે [ચક્ષુ-અચલુ-અવધિ) ૩-પણ જયારે સ્વાનદ્ધિ નિદાનિધ્રો તથા પ્રચલા પ્રચલાનો બંધવિચ્છેદ થાય ત્યારે નિદ્રા અને પ્રચલાને એ ભાગ મળે છે. ૪-નિદ્રા અને પ્રચલાનો પણ બંધ વિચ્છેદ થાય ત્યારે તેનો ભાગજ્વળ દર્શનાવરણને મળે છે. પ- કેવળ દર્શનાવરણનો પણ બંધ વિચ્છેદ થાય, ત્યારે અગ્યારમે ગુણ સ્થાનકે સાતા વેદનીયને બધો ભાગ મળી જાય છે (૩)વેદનીય કર્મઆકર્મતો બેમાંથી એક જ બંધાય છે, એટલે બધો ભાગ બંધાતી સાતાકે અસાતા ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy