SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૩ ૧૧૭ સમજી વિચારીને રસબંધ ઓછામાં ઓછો પડે તે બાબત ખ્યાલ રાખવો અર્થાત આ સૂત્રનો મુખ્ય સાર હોય તો એજ કે કર્મપ્રકૃત્તિનો બંધતોથવાનો જ છે પણ તેથયા પછી તેતેકર્મનેઅનુભાવ દ્વારા વિધારી-વધારીને ગાઢનબની જાય પણ પશ્ચાતાપથકી તેનો શક્ય તેટલો રસ ક્ષીણ થાય તેવા પ્રયાસો કરવાથીજ અંતેસમાકર્મક્ષીણ થઇને છેલ્લે મોક્ષ પ્રદાયક બનશે. |_ _ _ _ _ (અધ્યાયઃ૮-સૂત્રઃ૨૩ U [1]સૂત્રહેતુ- “ક્યા કર્મનો વિપાક કયા રૂપે થાય છે એ વાત બતાવવાને માટે આ સૂત્રની રચના થયેલી છે. U [2]સૂત્ર મૂળઃ- યથારામ U [3]સૂત્ર પૃથક્ક: યથાના U [4] સૂત્રસાર - તે અિનુભાવ યથાનામ -િજુદાં જુદાં કર્મની પ્રકૃત્તિ કે સ્વભાવ પ્રમાણે] વેદાય છે. U [5]શબ્દજ્ઞાનઃ- તે, અનુભાવ -(જે પૂર્વ સૂત્રમાં કહેવાએલ છે) યથાનામ-ગતિ, જાતિ આદિ પોત-પોતાના નામ પ્રમાણે [6]અનુવૃત્તિ - વિપાશેડનુમાવ: સૂત્ર-૮:૩૨ [7]અભિનવટીકાઃ- જે કર્મપ્રકૃત્તિનું જેનામછે, તે પ્રકૃત્તિ તે નામના અર્થ પ્રમાણે જ તે રસબંધ-કર્મફળ વિપાક ભોગવાય છે. પૂર્વસૂત્રમાં જણાવેલ અનુમાવ શબ્દ અહીં સ સર્વનામ વડે જણાવેલો છે. તે અનુમાવી અવસર આવ્યું ફળ આપે છે પણ એ બાબતમાં એટલું જાણવું જરૂરી છે કે દરેક અનુભાવ અર્થાત ©પ્રતિ પોતે જે કર્મનિષ્ઠ હોય, તેકર્મના સ્વભાવ અર્થાત પ્રકૃત્તિ પ્રમાણેજ ફળ આપે છે. અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપતી નથી. જેમકે જ્ઞાનાવરણ કર્મનો અનુભાવતે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કેમંદ ફળ ઉત્પન્ન કરે છે. એટલે તે જ્ઞાનને આવૃત્ત કરવાનું કામ કરે છે પણ દર્શનાવરણ, વેદનીય આદિ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપતું નથી એટલે કે દર્શન શકિત ને આવૃત્ત કરતો નથી કે સુખ દુઃખનો અનુભવ આદિ કાર્ય ઉત્પન્ન કરતો નથી. એજ રીતે દર્શનાવરણનો અનુભાવ દર્શન શકિતને તીવ્ર કે મંદ પણે આવૃત્ત કરે છે, પણ જ્ઞાનનું આચ્છાદન આદિ અન્ય કર્મોના કાર્યોને કરતો નથી. આ વસ્તુ પ્રત્યેક કર્મના નામની સાર્થકતા પૂર્વક આ રીતે રજૂ કરી શકાય. * જ્ઞાનાવરણ કર્મ૪ ગર્વ:જ્ઞાનાવરણ એટલે જ્ઞાનનું આવરણ તેનું ફળ તે જ્ઞાનનો અભાવ ઓછાપણું આવવુંતે. ૪ વિપ - જ્ઞાનાવરણ કર્મ જીવના જ્ઞાનગુણને આવૃત્ત કરે છે ૪ ૩પમ થકી સમજૂતી - જ્ઞાનાવરણ કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy