SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧ અકર્તવ્યની સ્મૃતિ માટે સાવધાન ન રહેવું તે -૩-પ્રમાદ શબ્દનો સામાન્ય અર્થઆળસ,અજાગૃતિ વગેરે થાય છે પણ આધ્યાત્મિક પરિભાષામાં આધ્યાત્મિક અજાગૃતિ, આધ્યાત્મિક બળદાયક પ્રવૃત્તિઓ તરફ દુર્લક્ષ્ય કે અનાદર, તેવી પ્રવૃત્તિનો અસ્વીકાર વગેરે ને પ્રમાદ કહેવામાં આવે છે અર્થાત્ આધ્યાત્મિક વિકાસને પ્રતિકુળ મન-વચન-કાયાની પ્રવૃત્તિ અથવા અનુકૂળ પ્રવૃત્તિ ન કરવી તે પ્રમાદ છે અને તેથી તે કર્મના બંધનું કારણ છે -૪-પૂર્વે ૩અધ્યાય:૬ સૂત્ર. ૬ માં ના વર્ણન વખતે કહેવાયેલ વ્યાપી બનવIક્ષ ક્રિયામાં પરોક્ષ રીતે પ્રમાદ્રિ નો સમાવેશ થઈ જાય છે અહીં સ્વપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ તેના ત્રણ ભેદોનું કથન કરે છે. (૧)સ્કૃતિ અનવસ્થાન, (૨)કુશલ પ્રવૃત્તિનો વિષે અનાદર, (૩)યોગ દુપ્પણિધાન [૧]સ્કૃતિ અનવસ્થાનઃ-પૂર્વે ઉપલબ્ધ થયેલ વસ્તુ વિષય તે સ્મૃતિ અને તેનો બ્રશ તે અનવસ્થાને અર્થાત વિસ્મરણ -વિકથા માદક, આહાર આદિ કારણોથી વ્યગ્ર બનેલા ચિત્તને કારણે કાર્ય કરવાનું છે તે યાદ ન રહે તેને વિસ્મરણ કે સ્મૃતિ ભ્રંશ કહે છે. []કુશળ અનુષ્ઠાનને વિશે અનાદર - મૃત્તિ બ્રશ નથયો હોયતોપણ કુશળ અર્થાત આગમશાસ્ત્ર માં જણાવાયેલી ક્રિયા-અનુષ્ઠાનને વિશે અનાદર અર્થાત અનુત્સાહ કે અપ્રવૃત્તિને શS ના: કહ્યું છે [૩]યોગ-દુષ્મણિધાન યોગ એટલેકાયા-વચન-મન નોવ્યાપાર. દુક્મણિધાન એટલે દુષ્ટઅધ્યવસાય કે આર્તધ્યાનમય ચિત્ત વડે કાયા-વચન-મનની પ્રવૃત્તિ સમાચરવી તે. -પ શ્રી સ્થાનાંગ સૂત્રમાં સૂત્રઃ ૫૪૨માં જણાવ્યા મુજબ પ્રમાદના છ ભેદો છે (૧)મઘપ્રમાદ(૨) નિદ્રાપ્રમાદ(૩) વિષયપ્રમાદ(૪) કષાય પ્રમાદ(૫)દ્યુતપ્રસાદ (૬)પ્રતિલેખના પ્રમાદ - ભૂલી જવું, ધાર્મીક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, અશુભ ધ્યાન તથા તેનાથી થતી પ્રવૃત્તિ તે પ્રમાદ છે. તદ્વિષયક કથન ઉત્તરાધ્યયન ગાથા-૧૮૦ નિર્યુકત માં મદ, વિષય, કષાય,નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ ગણવાનું સૂચવે છે. અન્યત્ર પણ કહ્યું છે કે मज्जविषय-कषाया निद्दाविकहाय पञ्चमी भणिया एए पञ्च पमाया जीवं पाडंति संसारे બીજી એક પરંપરા મુજબ પાસાદના આઠ ભેદો પણ કહેવાય છે. (૧)અજ્ઞાન(૨)સંશય,(૩)મિથ્યાજ્ઞાન, (૪)રાગ, (પ)ષ,(ક)મતિભ્રંશ-વિસ્મરણ, (૭)ધર્મને વિશે અનાદર, (૮)દુષ્મણિધાન જ કષાયઃ-१- कषायाः क्रोधमानमायालोभा: अनन्तानुबन्धिप्रभृतयः । -૨ કષાય એટલે સમભાવની મર્યાદા તોડવી તે -૩ ક્ષમા વગેરે આત્માના નિર્મળ ગુણો છે અને ક્રોધાદિ ચારે આત્માને કલુષિત, મેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy