SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [અર્થાત્ સંરંભ,સમારંભ અને આરંભ એ ત્રણ ભેદ આ ત્રણે મન-વચન-કાયના યોગથી થઇ શકે માટે ૩૪૩–૯ ભેદ, આ નવે ભેદે જીવ સ્વયં કરે,કરાવે કે અનુમોદે છે તેથી ૯૪૩=૨૭ ભેદ.આ ૨૭ ભેદોમાં ક્રોધ-માન-માયા-લોભ ચાર ભેદે નિમિત્ત થતાં ૨૭૪૪=૧૦૮ ભેદે જીવ -અધિકરણ કહેલું છે. [] [5] શબ્દજ્ઞાનઃઆઘું-પહેલું જીવાધિકરણ સંરમ-હિંસા આદિ ક્રિયાનો સંકલ્પ. સમારંમ-હિંસા આદિના સંકલ્પ પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી. આમ-હિંસા આદિના ક્રિયામાં પ્રવૃત્ત થવું યોગ-મન,વચન,કાયા-યોગ સૂત્ર ૬: માં કહેવાયેલ છે ગતિ-- કરાવવું, હિસાંદિ કરાવવા ૧૮ કૃત-ક૨વું,હિસાંદિ કરવા અનુમત-અનુમોદના,હિંસાદિ કાર્યોને અનુમોદન આપવું ષાય-ક્રોધ, માન,માયા,લોભ પૂર્વે કહેવાઇ ગયા છે ત્રિ-ત્રણ ભેદ, ૬ -અને વેંતુરી-ચાર ભેદ રા:-પ્રત્યેકના [] [6] અનુવૃત્તિઃ (૧) ધિરાં નીવાનીવા: સૂત્ર. ૬:૮ નીવા-અધિÓળ ની અનુવૃત્તિ (૨)સ આસ્રવ: સૂત્ર. ૬:૨ થી આસ્રવ શબ્દની (પરોક્ષ)અનુવૃત્તિ થશે [] [7]અભિનવટીકાઃ- સંસારી જીવ શુભ અથવા અશુભ પ્રવૃત્તિ કરતી વેળાએ ભિન્ન ભિન્ન એકસોને આઠ અવસ્થાઓમાંથી કોઇને કોઇ અવસ્થામાં જરૂર હોય છે આથી તે અવસ્થાને ભાવ અધિકરણ કહેવામાં આવે છે. આ ભાવ અધિકરણ ને જ સૂત્રકારે અહીં જીવ-અધિકરણ રૂપે ઉલ્લેખ કરીને પ્રસ્તુત સૂત્રમાં તેના ૧૦૮ ભેદોની છણાવટ કરેલી છે આ૧૦૮ ભેદમાં પૂર્વે જણાવેલા ત્રણ યોગને પણ સમાવેલા છે,પૂર્વે જણાવેલા કષાય ના ચાર ભેદ ને પણ જણાવેલા છે છતાં તેના પાયાના કે મુખ્ય ભેદ રૂપે સંરંભાદિ ત્રણનો ઉલ્લેખ કર્યો છે કેમ કે અહીં સૂત્રકાર મહર્ષિનો મુખ્ય આશય અધિકરણ થી થતી કર્માસ્રવની વિશેષતા [અર્થાત્ ભેદ] ને જણાવવાનો છે. તે આ રીતેઃ જે આદ્યઃ- આદ્ય એટલે પહેલું કે પૂર્વનું – અહીં પૂર્વ સૂત્ર અધિરળ નીવાનીવા: ની અનુવૃત્તિ કરવાની છે. ત્યાં બે અધિકરણ જણાવ્યા તેમાંના પહેલાને ખેંચવા માટે અહીં સૂત્રકારે આદ્ય પદ મુકેલું છે – વળી હવે પછીના અનન્તર એવા દશમા સૂત્રમાં પરમ એટલે ‘‘પછીનું’’ કહ્યું છે એ બંને પુરાવાઓથી અહીં આદ્ય અર્થાત્ પહેલું એટલે કે નીવાધિરણ નું જ ગ્રહણ ક૨વાનું છે. તદુપરાંત ભાષ્ય અનુસારિણી વૃત્તિમાં પણ જણાવે છે કે અધિરળનીવાનીવા: સૂત્રક્રમના પ્રામાણ્ય થી અહીં નૌવ-બધિર નું જ ગ્રહણ થશે –आद्यम् इति सूत्रक्रमप्रामाण्यात् जीव अधिकरणम् । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy