SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અધ્યાયઃ સૂત્રઃ ૮ જીવ અને અજીવ એમ બે ભેદો છે U [5] શબ્દશાનઃધિર-અધિકરણ, ઉપકરણ સાધન-શસ્ત્ર ગીવ-જીવ-પહેલા કહેવાઈ ગયેલ છે મગીવ-અજીવ-પહેલા કહેવાઈ ગયેલ છે 0 [6]અનુવૃત્તિ - કોઈ સ્પષ્ટ અનૂવૃત્તિ અહીં વર્તતી નથી છતાં સમાવ: સૂત્ર૬:૨ થી ગાવ શબ્દ જોડવો U [7]અભિનવટીકા - આ પૂર્વેના સૂત્રમાં સામ્પરાયિક આસ્રવ માં વિશેષતા જણાવતા તીવ્રઆદિ ભાવો સાથે અધિકરણનો ઉલ્લેખ કરેલો હતો એ અધિકરણ ના ભેદને સૂત્રકાર મહર્ષિ જણાવે છે સૂત્રકાર એક મહત્વની હકીકત જણાવે છે કે જીવમાં જે આશ્રવ તત્વના પરિણામ થાય છે અને તે થકી જે જીવને પ્રતિ સમય પ્રતિ પ્રદેશ અનંતા અનંત કર્મનો બંધ થાય છે તેનું કારણ શું છે? તેનું સમાધાન કરતાં સૂત્રકાર પોતે જ કહે છે કે તેના કારણ માં જીવ અને અજીવ પુદ્ગલ]દ્રવ્ય બને કારણ ભૂત છે. અર્થાત્ જીવને થતા સામ્પરાયિક આમ્રવના જો કોઈ ઉપકરણ હોય તો તે બે છે (૧)જીવ અને (૨)અજીવ * મધUT:-કર્મબંધનું સાધન, ઉપકરણ, શસ્ત્ર વગેરે જેના વડે આત્મા દુર્ગતિમાં લઈ જવાય છે તે જ અધિકરણ -अधिक्रियते आत्मा नरकादिषु येन तदधिकरण-दुर्गति अधिकारत् अधिकरणं * ગવાળીવા:- અધિકરણ બે પ્રકારે કહ્યા જીવ અને અજીવ –જીવ વિશે અધ્યાય ૧ થી ૪ માં કહેવાઈ ગયું છે - અજીવ વિશે અધ્યાયઃ૫માં કહેવાઈ ગયું છે -અહીં તેનો જે પુનઃ ઉલ્લેખ કરાયો છે તે તો તેના અધિકરણ સ્વરૂપને આશ્રીને કરાયો છે. -ते च जीवा अजीवा वा तीव्रादिभावेन भवितुः परिणन्तुः आत्मनो विषयमुपेत: साम्परायिक कर्मबन्धहेतवो भवन्ति इति दुर्गति प्रस्थाननिमित्तत्वात् अधिकरणशब्दवाच्यः । –અધિકરણ જીવદવ્ય અને અજીવદવ્ય એમબેભેદરૂપ છેતેનોસ્પષ્ટ અર્થ એ છે કે આત્મામાં જે કર્માસ્ત્રવ થાય છે તેમાં બે પ્રકારના નિમિત્તો છે એક જીવ નિમિત્ત અને બીજું અજીવ નિમિત્ત નીવાળીવાડ-એવું બહુવચનકેમ?સૂત્રમાં ગવશ્વમગીશ્વએ રીતેનીવાળીવી દ્વિવચનકરવાને બદલે ગીવાળીવા: એવુંજબહુવચન કર્યું છે તેનો હેતુ એ છે કે સૂત્રકાર અહીં પર્યાયભેદની જ વિવા કરવા માંગે છે અર્થાત જીવ અને અજીવના પર્યાયોઅધિકરણ છે કેમ કે પર્યાય શુન્ય દ્રવ્ય અધિકરણ થઈ શક્યું નથી અને તે વાતને આશ્રીને સૂત્રમાં બહુવચન મુકેલ છે– -व्यक्त्या पर्यायभेदस्य विवक्षितत्वादिति । –જીવ અને અજીવ એ જ અધિકરણ છે તેમ પણ સમજી લેવું જ સંકલિત અર્થ-શુભ-અશુભ બધાં કાર્યો જીવ અને અજીવ દ્વારાજ સિધ્ધ થાય છે –કેવળ જીવથી કે કેવળ અજીવ થી સામ્પરાયિક આસ્રવ થતો નથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy