SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્ર: ૪૫ કેમ કે અવ્રતી જીવની આ પ્રવૃત્તિઓ છે પછી ઇન્દ્રિયાદિ ના ગ્રહણની શી જરૂર? સમાધાનઃ-એક્તો પૂર્વે જણાવેલ છે કે આ બધી પ્રવૃત્તિ પરસ્પર સંકડાયેલી છે. વળી અવ્રતની પ્રવૃત્તિમાં ઈન્દ્રિય, કષાય, ક્રિયા નિમિત્ત છે માટે તેનું ગ્રહણ જરૂરી છેવળી તેઓનો કાર્યકારણ સંબંધ છે જેમકે અવતાજીવ ઇન્દ્રિયોના પરિણામને વશ થવાનો છે. જેમસ્પર્શનેન્દ્રિયના રાગનોવિષયસ્ત્રી હોયતોઅબહ્મ નામક અવ્રતનું સેવન થવાનું છેતોક્યારેક અવ્રતી હોવાથી જ પારિત્રહીની ક્રિયા ચાલુ રહે છે અને સ્ત્રીનુંમમત્વ વધે છે. વ્રત હોતતો તે ક્રિયા ન કરી હોત એ જ રીતે કષાયની તીવ્રતા થી અપ્રત્યાખ્યાન કષાયને લીધે જીવ અવતી થાય છે. તો કયારેક હિંસાદિ અવ્રતને કારણે ક્રોધાદિ કષાય જન્ય પરિણામોને વશ થાય છે આમ ચારે ભેદો પરસ્પર સંકલિત છે. ચારે પ્રશ્નોનો સારાંશ-અવત આદિચારમાંથી ગમેતે એકનું ગ્રહણ કરવાથી પણ અન્ય આગ્નવોની તેમાં વિવફા થઈ શકે છે તેમ છતાં આ ચારે ભેદો એકબીજામાં નિમિત્ત રૂપ હોવાથી તેમજ એકબીજાના યોગે કેવી રીતે પ્રવૃત્તિ થાય છે? ઇત્યાદિનો સ્પષ્ટ બોધ થાય એ દ્રષ્ટિ લક્ષ્યમાં રાખી સાપરાયિક આમ્રવના આ ચારે ભેદોનું ગ્રહણ કરેલ છે. જ એક શંકા- અહીં આમ્રવના ૩૯ ભેદો કહ્યા છે અને નવતત્વમાં ૪ર ભેદો કહ્યા છે તો આ તફાવતનું કારણ શું છે? નિવારણ - અવ્રત,કષાય, ઈન્દ્રિય અને ક્રિયા એ ચાર મૂળ ભેદ અને તેના ૩૯ ઉત્તર ભેદો તો બંનેમાં સમાન છે. પરંતુ યોગ નામક ભેદ નવતત્વની ગાથામાં જણાવેલો હોવાથી યોગના ત્રણ ભેદ ઉમેરાતા કુલ ૪૨ ભેદ આમ્રવના થયા. જયારે તત્ત્વાર્થ સૂત્રકારે મૂળભૂત રીતે યોગને જ આસ્રવ કહેલો છે તે આમ્રવના સામ્પરાયિક અને ઈર્યાપથ બે ભેદ કહ્યા છે. તેમાંના સાપરાયિક આમ્રવના આ ૩૯ ભેદ છે. અર્થાત્ યોગ એ મૂળભેદ જ કહ્યો છે જેના ત્રણ ઉત્તર ભેદ છે માટે અહીં લીધા નથી * સૂત્રપાઠભેદ નું સ્પષ્ટીકરણઃअव्रतकषायेन्द्रियक्रित्याः पञ्च चतुः पञ्च पञ्चविंशतिसङ्ख्यापूर्वस्यभेदा: આ પાઠને બદલે દિગમ્બર આસ્નાયમાં ન્દ્રયષાયા વ્રતથિ:પાતુ: પન્થપષ્ય વિંશતિસલ્ફયા: પૂર્વસ્ય મે: એ પ્રમાણે સૂત્ર પાઠ છે શ્વેતામ્બર આમ્નાયના સંપાદકોમાંના કેટલાંકે પણ આ પાઠ સ્વીકારેલ છે છતાં અમે મત્રતા વાળો પાઠ જ સ્વીકારેલ છે અવતરુષા વાળો પાઠ સ્વીકારવાનું કારણ એ છે કે [૧]સ્વોપજ્ઞ ભાષ્યમાં ઉમાસ્વાતિજી મહારાજાએ વ્રત,»ષાય,ન્દ્રિય અને શિયા એ ક્રમમાં જ ભાષ્ય રચના કરેલી છે [૨]ભાષ્યાનુસારી વૃત્તિમાં પણ એ જ ક્રમ સ્વીકારાયેલો છે. [૩]હારિભદ્રીય અને સિધ્ધસેનીયટીકાના સંપાદકોન્દ્રિયષાય. વાળા પાઠને સ્વીકારે છે છતાં ટીકામાં તો મતwથાય. એ ક્રમ જ જળવાયેલો છે. -સિધ્ધસેનીય ટીકામાં પ્રારંભમાં ન્દ્રિયષય: રૂપે ઉલ્લેખ જરૂર છે પણ સંપૂર્ણટીકાનો ક્રમ તો ભાષ્યાનુસારિણી હોવાથી અવ્રતાય એ રીતે જ છે. Jain Education International For D For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy