SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૩ ૯૫ ૐ પુદ્ગલ દ્રવ્ય અને તેના સ્પર્શોદિગુણો એમ જુદીજુદી ઇન્દ્રિયો વડે જાણી શકાય છે. ૧. આંખ:-રૂપ અને રૂપિ પદાર્થો ને જોઇ શકે છે. ૨. કાનઃ- શબ્દ સાંભળે છે અને શબ્દવાળા દ્રવ્યનું અનુમાન કરી શકે છે. ૩. નાક:- ગંધને જાણે છે અને ગંધવાળા દ્રવ્યની જાતિનું અનુમાન કરી શકે છે. ૪.જીભઃ- રસ ચાખી શકે છે અને રસવાળા દ્રવ્યનું અનુમાન કરી શકે છે. ૫.ત્વચાઃ- સ્પર્શને જાણે છે અને સ્પર્શવાળા દ્રવ્યનું અનુમાન કરી શકે છે. પ્રશ્નઃ-આ અધ્યાયના પાંચમાં સૂત્રમાં પુદ્ગલનું લક્ષણ રૂપીપણું કહ્યુ છે છતાં આ સૂત્રમાં પુદ્ગલના લક્ષણો ફરીથી કેમ કહ્યા? રૂપી શબ્દથી પણ ચારે સહવર્તી હોવાથી વર્ણની સાથે રસ,ગંધ અને સ્પર્શ તો આવીજ જવાના હતા પછી અલગ કથન શા માટે? – - ઉત્તર- આ અધ્યાયના ચોથા સૂત્રમાં દ્રવ્યનીવિશેષતા બતાવવા નિત્યાવસ્થિતારુપી એમ કરીને અપ↑ પણાનું વિધાન કરેલું. જયારે પાંચમું સૂત્ર તો તેનો અપવાદ દર્શાવે છે તેમાં પુદ્ગલના મૂર્તિ પણાનું [રૂપી પણાનું] વિધાન છે. અર્થાત્ તે અપવાદ સૂત્ર છે. આ સૂત્ર થકી સૂત્રકાર ને પુદ્ગલના સ્વરૂપને જણાવવું છે તેમજ અન્ય મતોની ભ્રામક માન્યતાનું નિરસન ક૨વું છે. માટે અલગ કથન કર્યુ સ્પર્ધાદિક્રમઃ- બધાં રસ-ગન્ધાદિ વિષયોમાં સ્પર્શ સબળ તત્વછે. વળી પ્રત્યેક સંસારી જીવને સ્પર્શનેન્દ્રિય હોય જ છે. માટે તથા સ્પર્શની અભિવ્યકિત પૃષ્ટગ્રાહી ઇન્દ્રિયો માં શીઘ્ર અભિવ્યકત થાય છે માટે તેનું ગ્રહણ પ્રથમ કર્યુ છે. જો કે સ્પર્શ સુખ થી નિરુત્સુક જીવોમાં કયાંક ૨સવ્યાપાર પ્રચુર જોવા મળે છે. તો પણ સ્પર્શ પછીજ રસ વ્યાપાર થાય છે,માટે તેનું ગ્રહણ બીજા ક્રમે કર્યુ છે. વળી સ્પર્શપછી ની તે બીજી ઇન્દ્રિય છે પછી અચાચક્ષુષ પણાને લીધે ત્રીજો પર્યાય ગંધ લીધો અને છેલ્લો પર્યાય વર્ણ લીધો. કેમ કે રૂપ સ્થૂલ દ્રવ્યગત જ ઉપલબ્ધ થાય છે તે સિવાય તો જાણી શકાતુ જ નથી [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભ:- સ્થિવાદ્ પંચવળે પંચરસે દુધઞકાસે પાત્તે * માગ.૨-૩.૬-મૂ. ૪૬૦-૧ તત્વાર્થ સંદર્ભ:- સ્પર્શાદિ વ્યાખ્યા ઞ.૨-મૂ.૨૦,૨૧ [૨૦] સ્પર્શનરસનપ્રાનવસુ શ્રો[િ૨૧] સ્પર્શનરસાન્ધવળ શાસ્તવામાં: અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ-ગાથા ૧૧ ઉત્તરાર્ધ (૩)કર્મગ્રન્થ પહેલો ગાથા ૪૧-૪૨ (૨)દ્રવ્યલોક પ્રકાશ,સર્ગઃ૧૧ શ્લોક ૧૧૩થી ૧૨૧ (૪)પાક્ષિક સૂત્ર-છઠ્ઠો આલાવો ] [9]પદ્યઃ બન્ને પદો હવે પછીના સૂત્રઃ૨૪ સાથે મુકેલા છે [10]નિષ્કર્ષઃ- આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૨૪ સાથે આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy