________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. વળી ધર્મ અધર્મ-આકાશ-પુદ્ગલ એ બધી સંજ્ઞા વિશેષ છે તો પણ તેને સ્વરૂપ થી ઓળખાવી શકાય છે. જેમ કે -
(૧) સ્વયં ક્રિયા પરિણત જીવ અને પુદ્ગલો ને જે સહાયક છે અર્થાત ગતિ સહાયક છે તે ધર્મ
(૨) ધર્મ તેનાથી વિપરીત એટલે કે જે સ્થિતિ સહાયક છે તે અધર્મ. (૩)માશ - જે બીજા દ્રવ્યોને અવકાશ આપે-રહેવા આપે- તે આકાશ
(૪) ઈ-પૂરણ-ગલન સ્વભાવ વાળો અર્થાત જેમાં ઉમેરો પણ થાય અને ઘટાડો પણ થાય તેને પુદ્ગલ કહેવાય છે, કેમ કે તેમાં નવા પરમાણું આવે છે અને પૂર્વે જોડાયેલા પરમાણુ વિખરાય પણ છે.
જ મળીવ તત્વોના ભેદોમાં કાળની ગણના કેમ કરી નથી? -“કાળ' તત્વ છે કે નહીં તે વિશે મતભેદ છે.
-જેઓ કાળનેતત્વમાને છે તે આચાર્યો પણ તેમને ફકત પ્રદેશ રૂપમાને છે. નવતત્વકાર પણ જણાવે છે કે કાળ એક સમય રૂપ હોવાથી તે ફકત પ્રદેશ રૂપ જ છે તેના સ્કંધ કે દેશ એવા ભેદ થતા નથી. અર્થાત્ તે પ્રદેશ સમુહ(પ્રચય)રૂપ ન હોવાથી તેઓના મતે પણ અસ્તિકાયો સાથે કાળની ગણના કરવી યુકત નથી.
-જેઓ કાળને સ્વતંત્રતત્ત્વમાનતા નથી તેમના મતે તો તત્વના ભેદોમાં કાળની ગણના નો પ્રશ્ન જ નથી.
-સત્રકાર મહર્ષિએ પણ સુત્ર૪:૬૮માં શ્વેત્યૐ સૂત્રથી કાળને દ્રવ્ય તરીકે ગણતા કેટલાંક આચાર્યોનો મત નોંધેલ છે તેઓ પોતે તત્વાર્થસૂત્રમાં કાળને દ્રવ્ય ગણતા નથી.(*જો કે તેઓ તેમના નવતત્વમાંતો કાળને અજીવનો ભેદ કહેજ છે) તેમ જેઓ તેને દ્રવ્ય ગણે છે તે આચાર્યોના મતનું ખંડન પણ કરતા નથી. આ રીતે સૂત્રકાર મહર્ષિ આ વિષયમાં મધ્યસ્થ રહ્યા છે. પરિણામે મળીવ તત્વોમાં કાળની ગણના નથી.
આ રીતે નવતત્વમાં ગીવ ના ૧૪ ભેદ ગણ્યા છે. જયારે તત્ત્વાર્થ સૂત્રકાર ૭ ને સ્વતંત્ર તત્ત્વ ન ગણતા હોવાથી તેઓ ૧૩ ભેદનું જ કથન કરે છે જેમાં ધર્મ-અધર્મ-આકાશ ના સ્કંધ-દેશ-પ્રદેશ એ ત્રણે ત્રણ ભેદો અને પુદ્ગલનાત્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુ એ ચાર ભેદ કહ્યા તેથી કુલ ૧૩ ભેદ થયા પણ કાળને સ્વતંત્ર મનવ તત્ત્વ માનેલ નથી.
અન્ય દર્શનો ધર્માદિ ચાર ભેદને માને છે? ના. આકાશ અને પુદ્ગલને તો વૈશેષિક,સાંખ્ય, ન્યાય આદિ દર્શનો માને છે. પણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય એ બને તત્વો જૈન દર્શન સિવાય બીજા કોઈ દર્શનો માનતા નથી. આ બંને તત્વો એ જૈન દર્શનનું આગવું પ્રદાન છે તેથી જ લોકાકાશ ની બહાર આ બંને તત્વોનોઅભાવ હોવાથી જીવ કે પુલ ની ત્યાં ગતિ કે સ્થિતિ હોતી નથી.
- ગવ પણ એક અસ્તિકાય છેઃ-જીવ પણ પ્રદેશોના સમૂહ રૂપ છે તેના પણ સ્કંધદેશ-પ્રદેશ કહ્યા છે તેથી જીવ પણ અસ્તિકાય રૂપ છે. અને ગ્રન્થાન્તરોમાં જે પંચાસ્તિકાય કહ્યા
* उमास्वातीयं नवतत्त्वप्रकरणम्-गाथा-१९ धर्माधर्माकाशानि पुद्गल काल एव चाजीवा:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org