SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -આવું પરિણામ જીવમાં જ્ઞાનાદિ તથા ક્રોધાદિ,પુદ્ગલમાં નીલ,પીત વર્ણાદિ અને ધર્માસ્તિકાય આદિ બાકી દ્રવ્યોમાં અગુરુલઘુગુણની હાનિ વૃધ્ધિરૂપ છે. પરિણામ અનાદિ અને આદિ એમ બે પ્રકારે છે. જેની વ્યાખ્યા સૂત્રકારે સ્વયં અગ્રીમ સૂત્ર ૧:૪૨ અનાવિધિમાંશ્વ માં કરેલી છે. ८८ —અનાવિપરિળામ:- જેની આદિનથી અર્થાત્ અમુક કાળે શરૂઆત થઇ એવું જેના માટે ન કહી શકાય તે અનાદિ પરિણામ —આવિ પરિણામ:-અમુક કાળે જેની શરૂઆત થઇ એમ કહી શકાય તે આદિ પરિણામ. ♦ પરિણામ એટલે પોતાની સત્તાનો ત્યાગ કર્યાવિનાદ્રવ્યમાં થતો ફેરફાર અર્થાત્ મૂળ દ્રવ્યમાં પૂર્વ પર્યાયનો નાશ ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. દ્રવ્યના પરિણામ માં કાળ મહત્વનો ભાગ ભજવે છે. અમુક અમુક ઋતુ આવતાં અમુક ફળ,ધાન્ય,ફુલ વગેરેની ઉત્પત્તિ થાય છે ઠંડી –ગરમી,ભેજ વગેરે થી ફેરફારો થયા કરે છે. કાળથી બાલ્યાવસ્થા, વૃધ્ધાવસ્થા વગેરે અવસ્થાઓ થયા કરે છે. આ ફેરફારો [ઉત્પત્તિવિનાશ] નિયત પણે ક્રમશઃ થયા કરે છે .આ પર્યાયના ફેરફારોમાં કાળને ઉપકારક કે નિમિત્ત કારણ ન માનવામાં આવે તો તે બધાં ફેરફારો [એટલે કે ઉત્પત્તિ અને વિનાશ એકી સાથે થવાની આપત્તિ આવે. પરિણામ ની વ્યાખ્યા સૂત્રકારે સ્વયં અગ્રિમ સૂત્ર ૧:૪૨ તદ્ભાવ પરિણામ: [વસ્તુનો સ્વ-ભાવ તે પરિણામ માં કહી છે ૐ વર્તનાલક્ષણમાં જણાવ્યા મુજબ પ્રત્યેક સમય-સમયનું જે પરિણામ, તે પરિણામમાં પણ ભિન્ન ભિન્ન ગુણ-પર્યાય રૂપ પરિણામ હોય છે. આ પરિણામોની ભિન્નતાને યથા તથ્ય ભિન્ન ભિન્ન સ્વરૂપે જણાવે તેને કાળ સ્વરૂપી પરિણામ જાણવું. પ્રયોગ થી કે સ્વાભાવિક, દ્રવ્યોની જે પરિણતિ થાય છે તથા નવાપણું કે જૂના પણું જે થાય છે તે પરિણામ કહેવાય છે. ♦ પ્રયોગ[અર્થાત્ જીવ પ્રયત્નથી] અનેવિશ્વસા[અર્થાત્સ્વભાવથીજ]દ્રવ્યમાંનવા જુનાપણાની જે પરિણતિ થવી તે પરિખામપર્યાય યિા:-ક્રિયા શબ્દની વ્યાખ્યા વિભિન્ન રીતેઃપરિસ્પંદ અર્થાત્ ગતિ એ જ યિા છે રયિા એ જ ગતિ છે. તે ત્રણે પ્રકારે કહી છે. (૧)પ્રયોગ ગતિ (૨)વિશ્રસા ગતિ (૩)મિશ્રસા ગતિ ક્રિયા એટલે ગતિ જેમાં ત્રણ ભેદ આ રીતે છે (૧) પ્રયોગતિ:- જીવના પ્રયત્ન વિશેષથી થતી ગતિ તે પ્રયોગ ગતિ જેને માટે ભાષ્ય ટીણમાં જણાવે છે કે ‘‘નીવરામ સંપ્રયુતા શરીરહારવર્ણાન્થરસસ્પર્શસંસ્થાવિષયા प्रयोगगति: (૨)વિશ્વમા ગતિઃ- જીવના પ્રયત્ન વિના સ્વાભાવિક થતી ગતિ તે વિક્રુસા ગતિ. જેને માટે ભાષ્ય ટીપ્પણમાં જણાવે છે કે. પ્રયોગમન્તરે લેવાનીવદ્રવ્યત્વપરિણામરૂપા પરમાળ્યમેન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy