SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પોતાની યોગ્યતાનુસાર થવાનો છે. તેમાં નિમિત્ત રૂપે બીજાનો ઉપકાર હોઈ શકે પણ પ્રેરક કારક રૂપે હોઈ શકે નહીં. જેમકે ક્ષુદાવેદનીયના ઉદય થી એક જીવને ભૂખ લાગી, બીજા કોઈએ તેને ખાવા માટે આપ્યું. ત્યારે વ્યવહારમાં પહેલો જીવ બીજા જીવનો ઉપકાર માને છે. પણ તત્વદૃષ્ટિએ વિચારણા કરીએ તો અહીં પહેલા જીવનો લાભાંતરાય નો ક્ષયોપશમ થયેલો છે. માટે બીજા જીવ થકી તેને ખાવા માટે વસ્તુ મળી. અહીં બીજો જીવતો નિમિત્ત માત્ર છે. જો પહેલા જીવને લાભાંતરાયનો ક્ષયોપશમ ન થયો હોય તો બીજો જીવ ગમે તેટલી ઈચ્છા છતાં ઉપકાર કરી શકતો નથી. આ સમગ્ર વાતનો નિષ્કર્ષ એટલો કે જગતમાં કોઈ કોઈને નિશ્ચયથી સુખી કે દુઃખી કરી શકતુ નથી માટે કોઈના પર રોષ કે તોષ કરવો નહીં વ્યવહાર થી જીવો પરસ્પર એકમેકના હિતાહિતમાં નિમિત્ત બની શકે છે. માટે ઇષ્ટ સિધ્યિમાં આવા નિમિત્તોની અવગણના ન કરવી. અન્યથા કલ્યાણ મિત્રો”ની પણ કયારેક ઉપેક્ષા થવા સંભવે છે. | USD 0 0 0 0 (અધ્યાયઃ૫-સૂત્રઃ૨૨) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકારકાળનો ઉપકાર જણાવે એટલે કે કાર્ય દ્વારા કાળના લક્ષણને જણાવે છે. [2]સૂત્રમૂળઃ-વર્તનાપરિણામ:ક્રિયાપરવાપરત્વે ૦૭ 0 [3]સૂત્ર પૃથક-વના પરિણામ: પ્રિય પર્વ-પરત્વે ૨ વચ્ચે U [4]સૂત્રસાર-વર્તના, પરિણામ,ક્રિયા,પરત્વ અને અપરત્વ એ કાળના ઉપકારો[અર્થાત્ કાળના કાર્યો છે. U [5]શબ્દજ્ઞાનઃ વર્તન-વર્તના પ્રતિ સમયે દ્રવ્યનું વર્તવું તે વર્તના પરિણામ:-પરિણામ, પોતાની સત્તાનો [જાતિનો ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યનો ફેરફાર તે પરિણામ શિયા :-ક્રિયા એટલે પરિસ્પદ [અર્થાત ગતિ] પરવાપરત્વ -પરત્વ એટલે જયેષ્ઠત્વ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ વ - અને leી-કાળના U [6]અનુવૃત્તિ - જીતસ્થિ–પ્રો. સૂર. પ૭ થી ૩૫શ્વર: શબ્દ ની અનુવૃત્તિ. U [7]અભિનવટીકાઃ- જો કે સૂત્રકાર મહર્ષિ તસ્વાર્થ સૂત્રની રચના કરે છે ત્યારે તેઓ કાળને દ્રવ્ય તરીકે માનતા નથી. છતાં કેટલાંક આચાર્યો કાળને દ્રવ્ય માને છે. તે વાતને મંતવ્ય સ્વરૂપે તેઓ આગળ સૂત્ર પ:૩૮ શક્યત્વે માં જણાવે જ છે હવે જો કાળ દ્રવ્ય છે તેમસ્વીકારીશું તો તેનો કોઈને કોઈ ઉપકાર પણ હોવો જોઈશે આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy