SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * વિશેષ - સૂત્રના અર્થ તથા શબ્દોના વૈશિષ્ઠયને આધારે વિશેષ કથન કરતાં આ રીતે જણાવી શકાય કે - # ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,જીવાસ્તિકાય અને પુગલસ્તિકાય એ ચારે દ્રવ્યોને આકાશ અવગાહ આપે છે. કેમ કે - # ધર્માસ્તિકાય આદિને અવગાહમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે જે આ રીતે એકજ આકાશ દ્રવ્યમાં આ ચારે દ્રવ્યોને પ્રવેશ મળે છે. $ અહીંપૂર્વસૂત્ર :૨૨ મુજબ એવાખ્યાલમાં રાખવીકે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એબે દ્રવ્ય એકઅખંડ અનંત પ્રદેશાત્મક આકાશસ્તિકાય જેભાગમાં રહેલા છે. તે ભાગને અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી લોકાકાશ કહે છે. અને બાકીના ભાગ અલોકાકાશ કહે છે. $ આ રીતે ધર્મ-અધર્મ દ્રવ્યને આશ્રીને એમ કહી શકાય કે લોકાકાશની બહાર કોઈ જીવ કે પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ નથી. 6 અવગ્રહપ્રવેશ મેળવવાની દૃષ્ટિએ સ્વોપલ્લભાષ્યમાં ચાર દ્રવ્યોના બે ભેદ કહ્યા છે. (૧)ધર્મ અને અધર્મ દ્રવ્ય આકાશની અંદર પ્રવેશીને અવગાહ મેળવે છે. (૨) જીવ અને પુદ્ગલો સંયોગ અને વિભાગ થી પ્રવેશ મેળવે છે. – અહીં સંયોગ એટલે એક સ્થાને ભેગા થવું કે જોડાવું - અને વિયોગ એટલે કોઈ બીજા સ્થાને થી છુટાં પડવું જીવ અને પુદગલ અલ્પષેત્રને અવગાહે છે. લોકાકાશના અસંખ્યાતમાં ભાગને રોકે છે. વળી તે બંને નેસૂત્ર પદમુજબ ક્રિયાવાનુદ્રવ્યો પણ કહ્યા છે. એક ક્ષેત્રથી ખસીને બીજા ક્ષેત્રમાં પણ પહોચે છે તેથી તેના મવદ એટલે કે પ્રવેશમાં સંયોગ અને વિભાગ દ્વારા આકાશ ઉપકારક બને છે. જ જો આકાશ ન હોત, તો અમુક સ્થાને જીવ અને પુદ્ગલના સંયોગ અને વિભાગ સંભવી ન શકત. $ જો સંયોગ અને વિયોગ પૂર્વક અવકાશ આપનાર પદાર્થના હોય, તો કોઈ પણ વસ્તુ સર્વવ્યાપક બને અથવા તો તે કયાંય રહી શકે નહીં –જયારે જીવ કે પુદ્ગલનું અવગાહના ક્ષેત્ર બદલાયા કરે છે. કયારેક તે આસ્થાને હોય, કયારેક તે બીજા સ્થાને પણ હોય. આમ જેસ્થાને થી તે છૂટો પડે છે તેને વિભાગ કહે છે. અને જે સ્થાને તે પ્રવેશ કરે છે. તેને સંયોગ કહે છે. આ બંને સ્થિતિમાં અવગાહ આપવાનું કાર્ય આકાશ જ કરે છે. $ જો કે ટોવાશેqIFE: સૂત્ર૫:૨૨ માંઆકાશનું સ્વરૂપકેલક્ષણ પહેલા બતાવેલું જ છે કે સંપૂર્ણ પદાર્થોને અવગાહદેવાનું તેને કાર્ય છે છતાં આ સૂત્રમાં ફરીથી એ જ અવગાહ કાર્ય ને જણાવવા માહ્યાવાદ: સૂત્ર બનાવ્યું તે સહેતુક છે. લોકાકાશમાં અવગાહ સૂત્ર થકી અવગાહી એવા ધર્માદિ દ્રવ્યનું પ્રાધાન્ય હતું ત્યાં ધર્માદિ ચાર દ્રવ્યો કયાં રહે છે એ વાતને સિધ્ધ કરવામાં આવી હતી જયારે પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ એ સિધ્ધ કરેલ છે. અવગાહ આપવો એ આકાશનું જ કાર્ય છે. સામાન્યથી ધર્માદિ દ્રવ્યોનો અવગાહવિચારીને આપણે લોકાકાશને જ અવગાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy