SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અધ્યાય: ૫ સૂત્રઃ ૧૨ 0 [3]સૂત્ર પૃથક- શાશે ગવIC: | [4] સૂત્રસાર:- લોકાકાશને વિશે અવગાહ હોય છે [અર્થાતુ રહેવાવાળા દ્રવ્યોનું રહેવાપણું એટલે કે સ્થિતિ લોકાકાશ માં છે [5]શબ્દજ્ઞાન - હોવાશે- લોકાકાશમાં, લોકાકાશ ને વિશે અવાદ: અવગાહ,સ્થિતિ U [6]અનુવૃત્તિઃ(૧) મળીવયા સૂત્ર : ધધ... પુ : ની અનુવૃત્તિ (૨) દ્રવ્ય ગીવા સૂત્ર. ૧૨ નવ શબ્દની અનુવૃત્તિ લેવી U [7]અભિનવટીકા- જગત પાંચ અસ્તિકાય રૂપ છે એથી સ્વાભાવિક એવો પ્રશ્ન ઉદ્ભવેકેઆપાંચ અસ્તિકાયોનો આધાર-સ્થિતિસ્ત્રશું છે? શું એમનો આધાર એમનાથી ભિન્ન એવું બીજું કોઈ દ્રવ્ય છે? અથવા એ પાંચમાંથી કોઈ એક દ્રવ્ય બાકીના દ્રવ્યોનો આધાર છે? આ પ્રશ્નોના સમાધાન માટે પ્રસ્તુત સૂત્રની રચના થયેલી છે. સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે આકાશ દ્રવ્ય લોકાકાશ એ જ આધાર છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય એ ચારે આધેય છે. જો કે આઉત્તર વ્યવહાર દ્રષ્ટિએ સમજવો. નિશ્ચય દ્રષ્ટિએ સમજવો નહીં. નિશ્ચયનય થી તો બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠા અર્થાત પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે. તાત્વિક દૃષ્ટિએતો કોઈ એક દ્રવ્ય બીજાં દ્રવ્યમાં રહી શકતું નથી. વ્યવહાર થી આ ટોશે'વાદ: નિયમને સ્વીકારીને અભિનવટીકા કરવામાં આવી છે. જોવા :-સૂત્રમાં પહેલું પદ હોશ છે. જેના ઉલ્લેખ પૂર્વસૂત્ર : માગશસ્થાનના: માં કરેલ છે. તેની વ્યાખ્યા જ -મૂળ દ્રવ્ય આકાશસ્તિકાય છે -અગ્રિમ સૂત્ર ૫:૨૮ આશિસ્યાવાહિ: સૂત્ર મુજબ અવગાહમાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યનું કાર્ય છે. –પરંતુ અહીં તે સૂત્ર ઉપર કંઈક વિશેષ ટીપ્પણી કરવા માટે આકાશ પૂર્વે ત્રો શબ્દ રૂપી વિશેષણ મુકેલ છે. -આ રીતે સૂત્રકાર સ્વયં જ અખંડ એવા આકાશ દ્રવ્યના વ્યવહાર થી કલ્પિત એવા બે ભાગદર્શાવે છે(૧)લોકાકાશ (૨)અલોકાકાશ. અહીં પ્રશ્ન એ જ થશે કે લોકાકાશ એટલે શું? # રોગશ એટલે શું? -સૂત્રની દૃષ્ટિએ કહીએ તો જયાં ધર્માદિક દ્રવ્યોને અવગાહ-રહેવાપણુ છે તે લોકાકાશ. – પણ લોકાકાશ ને સમજતા પહેલાં લોકનો અર્થ જાણવો જોઇએ. -લોક એટલે શું? સામાન્ય થી ચૌદરજજુ વાળો જે લોક [પૂર્વે ત્રીજા અધ્યાયમાં જેની વ્યાખ્યા કરાયેલી છે તે લોક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy