SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [4]સૂત્રસારઃ- કોઇક [આચાર્ય કહે છેકે]કાળ પણ [દ્રવ્ય]છે [] [5]શબ્દશાનઃ બ: કાળ, વર્તનાદિ જેના લક્ષણ છે તે ૬ - પણ - તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કૃતિ - એ પ્રમાણે [કહે છે] एके કોઇક [આચાર્ય ] [] [6]અનુવૃત્તિ:- મુળપર્યાયવવ્યમ્ સૂત્ર ૬:૩૭ થી દ્રવ્યમ્ ની અનુવૃત્તિ [] [7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિએ અત્યાર સુધીમાં ધર્માદિક પાંચ દ્રવ્યોનું અનેક અપેક્ષાએ વર્ણન કર્યુ. તેમાં ધર્માદિ પાંચેના ઉ૫કાર[-કાર્ય] ના વર્ણન કરતા કાળ ના વર્તનાદિ ઉપકાર [-કાર્ય ને પણ જણાવેલું હતુ. પણ કાળ શું છે? દ્રવ્ય કે પર્યાય? તે વિશે કોઇ જ સ્પષ્ટતા હજી સુધી કરાઇ નથી. તેથી શંકા થાય કે કાળ એ પાંચ દ્રવ્યોથી ભિન્ન એવું કોઇ છઠ્ઠું દ્રવ્ય છે. અથવા પાંચે દ્રવ્યોમાં અંતર્ભૂત કોઇ તત્વ કે પર્યાય છે? -કારણકે કાળના વર્તનાદિ લક્ષણો [-કાર્યો કે પર્યાયો] ને જણાવતી વખતે પણ ધર્માસ્તિકાય આદિની માફક એમાં દ્રવ્યત્વનુંવિધાન કરેલ નથી. આવુંવિધાન કરવાનો હેતુ શો છે? આ અને આવા પ્રશ્નોના ઉત્તરને માટે આ સૂત્રની રચના કરતા જણાવેછેકે - હે તુ આવાર્યા વ્યાપક્ષતે મોઽપદ્રવ્યમ્ કૃત્તિ કોઇ કોઇ આચાર્ય કહે છે કે “કાળ પણ દ્રવ્ય છે” काल:- अद्धा समय કાળ શબ્દ સંજ્ઞારૂપે પ્રસિધ્ધ છે. છતાં તેના પર્યાય રૂપે ‘‘અાસમય’’એવો શબ્દ પણ આગમ માં જોવા મળે છે બાકી કાળની કોઇ વ્યુત્પત્તિ જન્ય વ્યાખ્યા અમને જોવા મળેલ નથી. ~:- કાળ સાથે જોડાયેલ પદ 7 છે તેને માટે કેટલાંકનું એવું કથન છે કે પૂર્વસૂત્ર માંથી દ્રવ્ય શબ્દની અનુવૃત્તિ ખેંચવા માટે સૂત્રકાર અહીં હૈં અવ્યય પ્રયોજેલછે. - પરંતુ હારિભદ્રીય વૃત્તિમાં સ્પષ્ટ જણાવે છે કે 7 રાષ્ટ્રો પ શત્વાર્થ: । ગોવિદ્રવ્યમ્ અર્થાત્ ત્ત્વ શબ્દ પિ[પણ]શબ્દનો ઘોતક છે. કેમ કે કાળ ‘‘પણ’’દ્રવ્ય છે એવા એકમતને અહીં રજૂ કરવાનો આશય છે. *ત્તિ જે:- સૂત્રમાં વૃત્તિ જે શબ્દ થકી એક મત આવો પણ છે. એમ કહીને સૂત્રકાર મહર્ષિ કાળને દ્રવ્ય માનતા પક્ષના મંતવ્ય ને જણાવે છે. તે તુ આચાર્યાં । ‘‘કોઇક આચાર્યો’’ આમ પણ કહે છે તેવું જણાવવાતિ જે શબ્દ પ્રયોજાયેલ છે. આ રીતે વિધાન કરવા પાછળના સૂત્રકારના બે આશય હોય તેવું જણાય છે. -૧ સ્વયં-પોતે કાળને દ્રવ્ય તરીકે ગણવાનો મત સ્વીકારતા કે પ્રગટ કરતા નથી. Jain Education International કેમ કે જો પૂ.ઉમાસ્વાતિજી મહારાજાને સૂત્ર રચના વખતે કાળ દ્રવ્ય સ્વરૂપે ઇષ્ટ હોત તો સૂત્ર રચના કેસ્વોપજ્ઞ ભાષ્ય રચના કરતી વેળા ક્યાક પણ કાળનો દ્રવ્ય તરીકે ઉલ્લેખ કર્યો હોત તેને બદલે પ્રસંગે પ્રસંગે કાળનો દ્રવ્ય રૂપે ઉલ્લેખ ન કરવાનું પૂજયશ્રી એ બરાબર ધ્યાન રાખેલ છે. —આગળ વધીને કહીએ તો આ અધ્યાયના સૂત્રઃ૨ સૂનિ નીવાશ્વ ના ભાષ્યમાં પવૃષિ મવૃત્તિ એવુંસ્પષ્ટ વાક્ય લખીને દ્રવ્યોની સંખ્યા પાંચની જ છે તેવું કહી દીધું છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy