SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૨૬ ૧૦૯ સારાંશ એ કે આ રીતે સ્કન્ધોમાંથી અણુઓનું છૂટા પડવું અને નાના-નાના સ્કલ્પોનું રચાવું તે ભેદ જન્ય સ્કન્ધ રચના છે. આવા સ્કન્ધ પણ કયણુક થી માંડીને અનંતાણુક પર્યન્ત હોઇ શકે છે. * સાત-અર્થાત એકજ સમયે સંઘાત અને ભેદની ક્રિયા સાથે થાય તેને સંઘાત-ભેદ કહેવામાં આવે છે. એક જ સમયે અણુઓના જોડાવા અને છૂટા પડવાની ક્રિયા થાય તો તેને સંઘાત ભેદ પધ્ધતિએ એ સ્કન્દની ઉત્પત્તિ કહી છે. –જયારે કોઈ એક અન્ય તટે ત્યારે તેના અવયવની સાથે એ જ સમય બીજા કોઈ અણુ કેવસ્તુ જોડાય ત્યારે ભેદ અને સંઘાત બન્ને ક્રિયા થઈ હોવાથી તેને સંઘાત-ભેદ જન્ય સ્કન્ધ કહેવામાં આવે છે. – આવા સંઘાત ભેદજન્ય સ્કન્ધ પણ દ્વિ પ્રદેશ થી લઈને અનંતાનંત પ્રદેશ સુધીના અર્થાત્ કયણુક થી અનંતાણુક સુધીના હોઈ શકે છે. -જેમ કે એકત્રયણક સ્કન્ધ છે તેમાંથી એક અણુ છૂટો પડી જાય અને તે જ સમયે બે નવા અણ જોડાય તો ચતુરણુક એવો સ્કન્ધ બનશે આ સ્કન્ધને સંઘાતભેદજન્ય સ્કન્ધ કહેવાશે. -સત્ ધાતુનું રૂપ છે.જેનો અર્થથાય છે. “જન્મ લેવો”અથવા” ઉત્પન્ન થવું. –સમગ્ર સૂત્રમાં અર્થઘટાવીએ તો સંઘાત થી ભેદથી અને ઉભયથી સ્કિન્ધ ઉત્પન્ન થાય છે. જ દ્રષ્ટાંત - એક સ્થૂળ દ્રષ્ટાંત થી દ્રઢીકરણ માટે આ વાતને પુનઃ સમજવી હોય તો આ રીતે કહી શકાય માને કે સ્કન્ધ ૧૦૦ અણુઅનો બનેલો છે. – તેમાં ધારો કે ૧૦ નવા અણ જોડાયા તો ૧૧૦ અણુઓનો જેસ્કન્ધ બન્યો તેને “સંઘાત'' સ્કન્ધ નું દ્રષ્ટાંત સમજવું -કદાચ તે ૧૦૦ અણુઓના સ્કન્દમાંથી ૨૦ અણુ છૂટા પડી ગયા હોય અને ૮૦ અણુઓનો સ્કન્ધ બને તો તે ભેદ-સ્કન્ધનું દ્રષ્ટાંત સમજવું –કલ્પના કરીએ કે આ ૧૦૦ અણુઓનો એક સ્કન્ધ છે. તેમાં એક સાથે ૨૦અણુ છુટા પડે અને તે જ સાથે ૧૫ અણુઓ જોડાય તો ૯૫ અણુ ઓનો જરકન્ધ બને તેને સંઘાત-ભેદ જન્ય સ્કન્ધ નું ઉદાહરણ સમજવું આ દ્રષ્ટાંત આધારે ત્રણે ભેદની વિવક્ષા કરી લેવી. અનુવૃત્તિ - સૂત્રમાં ફ્રેન્ચ શબ્દ છે નહીં. તેને ઉપરોકત સૂત્રથી અનુવૃત્તિ કરી છે. જો કે ફિન્ચ શબ્દની જ અનુવૃત્તિ કેમ કરી? એ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તેનો ઉત્તર એટલો જ કે હવે પછીના સૂત્ર-૨૭ મેવાણુ માં અણુની ઉત્પત્તિનું કારણ આપેલ છે. પરિણામે આ સૂત્રમાં વિન્દ ની અનુવૃત્તિ જ થશે તે વાત અભિપ્રેત જ છે. બહુવચન કેમ? - સંકુતમેભ્યામ્ ને બદલે સતપેશ્ય: એવું જે બહુવચન મુક્ત છે તેનો હેતુ એ છે કે સૂત્રકારને બે નહીં પણ ત્રણ કારણોનો સંગ્રહ કરવો છે. તેને સંઘાત અને ભેદ ની સાથેસાથે મિશ્ર એવા સંધાત-ભેદ રૂપ ત્રીજા ઉત્પત્તિ કારણનો સમાવેશ કરવા બહુવચન મુલછે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy