SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા થી જેબૂદ્વીપને ઢાંકી દઈ શકે છે. પિનબુમાર:- જેઓ પાતાળ લોકથી ક્રીડા કરવાને માટે ઉપર આવે છે - સપ્રમાણ શરીર વાળા, દીપતા એવા, સ્વચ્છ અને ઘડાના ચિહનવાળા છે -સાત હાથ ઉંચાઈ વાળા આ અગ્નિકુમારો માનોન્માન પ્રમાણ અંગોપાંગવાળા, વિવિધ આભરણોથી શોભતા, રકત વર્ણવાળા, જેઓના વસ્ત્રનો વર્ણનીલ છે તેવા અને મુકુટમાં કળશના ચિહ્ન થી શોભે છે. – તેઓને દક્ષિણમાં ભવન સંખ્યા ૪૦ લાખ છે જેનો ઇન્દ્ર અગ્નિશિખેન્દ્ર છે. –તેઓને ઉત્તરમાં ભવનસંખ્યા ૩૬ લાખ છે જનો ઈન્દ્ર અગ્નિ માનવેન્દ્ર છે - તેમના સામાનિક દેવો દક્ષિણમાં છ હજાર અને ઉત્તરમાં પણ છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. અગ્નિકુમારના અધિપતિ અગ્નિની એક જવાળા વડે આખા જંબૂદ્વીપને બાળી શકે છે. [વાયુમર :- જે તીર્થકરનો વિહાર માર્ગ શુધ્ધ કરે છે - સ્થિર, પુષ્ટ અને ગોળ અવયવોવાળા, ઉંડા પેટવાળા, સ્વચ્છ અને ઘોડાની નિશાની વાળા હોય છે. – સાત હાથ ઉંચા એવા આ વાયુકુમાર દેવો- પ્રિયંગુ વૃક્ષ જેવા અવદાત શ્યામવર્ણવાળા છે, તેમના વસ્ત્રનો વર્ણ રકત છે અને તેઓના મુગટમાં નિકાય ચિહ્ન મગર છે. – તેઓની ભવન સંખ્યા દક્ષિણમાં ૫૦ લાખ છે. જેનો ઈન્દ્ર વેલંબેન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉતરમાં ૪૬ લાખ છે જેનો ઇન્દ્ર પ્રભંજનેન્દ્ર છે – તેઓના સામાનિક દેવો દક્ષિણ તથા ઉત્તર બંનેમાં છ-છ હજાર છે અને આત્મ રક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. શકિતની અપેક્ષાએ વાયુકુમારનો ઇન્દ્ર એક પવનના ગુંજારવવડે આખા જંબુદ્વીપને પવનથી ભરી દઈ શકે છે. [૭]સ્વનિત શુમાર:- શબ્દ કરવાવાળા દેવોને સ્વનિતકુમાર કહે છે – સ્નેહાળ, ગંભીર, મીઠો અવાજ, કરનારા, સરાવના ચિહ્નવાળા છે. – સાત હાથ ઉંચા આ સ્વનિતકુમારો સ્નિગ્ધ શરીરની ક્રાંતિવાળા,સ્થિર, પડઘા પડે તેવા મહાસ્વરવાળા, સુવિશુધ્ધ જાત્યવંત સુવર્ણ સમાન વર્ણવાળા, શ્વેતવસ્ત્રથી યુકત અને મુગટમાં વર્ધમાન કે સરાવના નિકાય ચિહ્ન થી યુકત હોય છે. – તેઓની ભવન સંખ્યા દક્ષિણમાં ૪૦ લાખ છે. જેનો ઇન્દ્ર ઘોષેન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉત્તરમાં ૩૬ લાખ છે જેનો ઈન્દ્રમહાઘોષેન્દ્ર છે. – તેઓના સામાનિક દેવો ઉત્તર-દક્ષિણ બંનેમાં છ-છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. . – શકિતની અપેક્ષાએ તેનો અધિપતિ એક સ્વનિત (ગર્જરવ) શબ્દ વડે આખા જબૂદ્વીપને બહેરું કરી શકે છે. [૮] ધિરુમાર:- સમુદ્રોમાં ક્રીડા કરવાના સ્વભાવવાળા ઉદધિકુમાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy