________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્રીજા અધ્યાયના આરંભે
પ્રસ્તુત અધ્યાયમાં કુલ ૧૮ સૂત્ર છે. બહુ ઓછી સંખ્યાના સૂત્રોમાં વિપુલ માહિતી સંગૃહીત કરાયેલી છે. મુખ્યત્વે નરક અને તિછલોકબે જ વિષયો પરત્વે સૂત્રકારે સૂત્ર રચના પર કેન્દ્રીકરણ કરેલું છે.
પ્રથમ અધ્યાયમાં સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન ને આવરી લીધા પછી બીજા અધ્યાયથી જીવતત્ત્વની યાત્રાનો આરંભ થયો છે. આ અધ્યાયનારક-મનુષ્ય-કંઈક અંશે તિર્યંચ એ ત્રણ જીવોને આશ્રીને ગુંથાયેલો છે. બીજા શબ્દોમાં કહીએ તો દિવ વિષયક માહિતી સિવાય) અધોલોક અને તોછલોક એ પ્રસ્તુત અધ્યાયનું વિષય વસ્તુ છે.
તીર્થાલોક સંબંધિ માહિતી માટે સૂત્રકાર મહર્ષિ રચિત જંબુદ્વિપ સમાસ પૂજ પ્રકરણ તથા પૂ. સાગરાનંદસૂરિજી રચિત તત્ત્વાર્થ પરિશીષ્ટ અનેક ઉપયોગી માહિતી સ્રોત પુરો પાડે છે.
આ બધાં સાથે એક મહત્વની વાત તો સ્મરણસ્થ રાખવી જ પડશે કે અહીં નારક આદિ જે વર્ણન છે તે ચતુર્ગતિ ના ભાગ રૂપજ છે. શાસ્ત્રકારનું મુખ્ય ધ્યેય ફકત માહિતી પૂરી પાડવીતે નથી પણ આવો ચતુર્ગતિરૂપસંસાર જાણી જીવતેમાં મેંગ્ય નહીં પણ કેમ બહાર નીકળે તે છે. તે માટેજ મુખ્ય ધ્યેયરૂપ મોક્ષતત્ત્વની સાધના પ્રથમ અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં જણાવી છે. તે માર્ગે ચાલવા માટે આ તો બધી કેડીઓ છે.
પ્રસ્તુત અધ્યાયના અધ્યયન થકી પણ છેલ્લે નારક-તિર્યચ-મનુષ્ય ત્રણેગતિ છોડવા યોગ્ય છે તે વાત જ વિચારણીય રહે છે. બાર ભાવનામાં લોક સ્વરૂપ ભાવના માટે કે સંસ્થાનવિચય ધ્યાન માટે ત્રણે લોકના સ્વરૂપની જાણકારીમાં પણ અવશ્ય ઉપયોગી થતો આ વિષય છે. જે ભાવના કે ધ્યાનનું પરિણામ પણ વૈરાગ્ય અને પરંપરાએ મોક્ષ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org