SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * વૃત્તિ [અંતરાલ-ગતિ] → સર્વ સામાન્ય અર્થમાં ગતિ એટલે ‘‘જવું તે’’ ગતિમાટેઅહીં અંતરાલ ગતિ શબ્દ કહયોછેતેબે પ્રકારની કહી છે. (૧) ઋજુ(૨) વક્ર (૧)ત્રકજુ ગતિને અવિગ્રહગતિ પણ કહી છે. અવિગ્રહ ગતિ એટલે સરળ ગતિ અથવા વળાંક વિનાની ગતિ. —આ ત્રકજુ ગતિએ જતા જીવને સ્થાનાન્તાર (શરીરાન્તર) કરતા કોઇ નવો પ્રયત્ન કરવો પડતો નથી. તે જયારે શરીર છોડે છે. ત્યારે તેને તેપૂર્વશરીર જન્ય વેગ મળે છે. તેના પરિણામે બીજા કોઇ પ્રયત્ન સિવાય ધનુષ થી છુટેલા બાણની માફક સીધોજ નવા સ્થાન ઉપર પહોચી જાય છે. - · આ ગતિ ફકત એક સમયની જ હોય છે. તે એકજ સમયમાં ઉત્પતિ સ્થાને પહોંચી જાય છે. પૂર્વે છોડેલા શરીર ના (યોગનો) વેગ એક સમય સૂધીનો હોય છે. આ થી અવિગ્રહ ગતિમાં નવા કોઇ યોગની સહાય લેવી પડતી નથી. પૂર્વભવના શરીરનો જ યોગ પૂરતો થઇ પડે છે. (૨) વક્રગતિઃ- આ ગતિને વિગ્રહ-વાંકી કે વળાંકવાળી ગતિ કહે છે. પ્રસ્તુત સૂત્રનો વિષય હોવાથી તેની અલગ વિચારણા કરીએ * વિદ્મહઃ સૂત્રમાં ગતિ શબ્દ સાથે સંકાડાયેલા આ મહત્વનો શબ્દ છે. - વિગ્રહ એટલે વક્ર અથવા વળાંક સાદી ભાષામાં સમજાવવા માટે તેને કાટખૂણો કહી શકાય છે. અર્થાત્ વિગ્રહ એટલે કાટખૂણો. * વિપ્રાતિ:-- Jain Education International विग्रहेण युक्ता गतिर्विग्रह गति : -विग्रह प्रधाना गतिर्विग्रहगति: સામાન્ય અર્થ કર્યો કે વિગ્રહ વડે જોડાયેલી ગતિ તે વિગ્રહગતિ અથવા જે ગતિમાં વિગ્રહ (વળાંક) ની મુખ્યતા છે તે ગતિ. વળાંક વાળી ગતિ તે વિગ્રહ ગતિ આ ગતિમાં જનાર જીવને નવો પ્રયત્ન કરવો પડે છે. કેમકે પૂર્વ શરીર જન્ય પ્રયત્ન જીવને જયાંથી વળવું પડે છે. ત્યાં સૂધીજ કામ કરે છે. જયાંથી વળવાનું સ્થાન આવે એટલે કે કાટખૂણો બને ત્યાં પૂર્વશરીર જનિત પ્રયત્ન (યોગ) મંદ પડે છે. ત્યાં તેને નવા પ્રયત્ન કે યોગની જરૂર પડે છે આ સમયે જીવ સાથે એક સૂક્ષ્મ શરીર રહેલું હોય છે. તે સૂક્ષ્મ શરીરના ગતિ કરાવવામાં પ્રયત્ન કરે છે. તે પ્રયત્નને જ શાસ્ત્રીય પરિભાષા માં કાર્યણકાય યોગ કહે છે. તો ફરી પ્રશ્ન થાય કે આ યોગ શું છે? યોગ:- અહીં ચોળ શબ્દની કોઇ વિશિષ્ટ વ્યાખ્યા કરવાની નથી તે વાતતો ઞ દ્દ-સૂ.o માં કહેવાશે.પરંતુ કર્મયોગની ઓળખ આપવા જ યો। શબ્દ અલગ પાડેલ છે. હારિભદ્રિય ટીકામાં કહ્યું છે કે- ‘‘તત્કૃત વ્યાપાર વ્‘‘ યો: અર્થાત તે (કર્મ) થકી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy