SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૨ સૂત્રઃ ૨૨ કરે છે. મનનું કાર્ય વિચાર કરવાનું છે. ઈદ્રિયો થકી ગ્રહણ કરાયેલા અને નહિ કરાયેલા વિષયોમાં વિકાસ-યોગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ શ્રુત છે તેથી જ એમ કહેવાય છે કે અનિન્દ્રિયનો વિષય શ્રત છે અર્થાત મનનું પ્રવૃત્તિ ક્ષેત્ર મૂર્ત-અમૂર્ત બધાં તત્વોનું સ્વરૂપ છે. અહીં શ્રુતનો અર્થ-શ્રુતજ્ઞાન લીધો છે. ઇન્દ્રિયોના અને મનના નિમિત્તથી સ્પર્શ-રસગંધ-વર્ણ-શબ્દનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે મતિજ્ઞાન ઉત્પન્ન થયા પછી તે સર્વેનું શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે આમ પરંપરાએ શ્રુતની ઉત્પત્તિનું નિમિત્ત અનિન્દ્રિય અર્થાત મન છે. આ મનના દ્રવ્યમન અને ભાવમન એવા બે ભેદ છે. દ્રવ્યમન-સ્વકાય પરિમાણ વ્યાપ્ત રહેલું છે. -મનોવર્ગણા ના પુદ્ગલ રૂપ છે. ભાવમન-(પણ) ચામડી પર્યન્ત દેશ વ્યાપી કહ્યું છે-જીવના ઉપયોગ રૂપ છે. જો કે મન વિશે-મ:-સૂત્રઃ ૧૧ ની ટીકામાં વિસ્તાર થી વિવેચન કરાયેલ છે. શ્રત (શ્રુતજ્ઞાન) વિશે ભાષ્યકાર મહર્ષિ મૂળભૂત બે ભેદ વ્યકત કરે છે એવષ્ટ અને ગવાય જેના વિશે આપૂર્વેમ. સૂ. ૨૦માં જણાવેલ છે આ સંપૂર્ણ ભેદરૂપ શ્રુતને મનનો વિષય કહેલો છે. મનને નિન્દ્રિય કહેવાનો અભિપ્રાય ષ ન્દ્રિય પણ છે. જેમ કોઈ કન્યાને અનુરા ન્યા કહેવામાં આવે ત્યારે તેમના અતિ કૃશ/પાતળા ઉદરને કારણે આવું વિશેષણ કહેવાય છે. તેમ મનને પણ ષત ઇન્દ્રિય પણાને આશ્રિને નિન્દ્રિય કહ્યું બીજું મહત્વનું કારણ એ પણ છે કે ઇન્દ્રિયોની માફક તેનો વિષય નિયત નથી અને તેનું સ્થાન પણ ઇન્દ્રિયોની માફક નજરે પડતું નથી. તેથી તેને નિન્દ્રિય કે મંત: વરણ કહ્યું છે. જો કે મન પણ જ્ઞાનનું સાધન છે તેથી ઇન્દ્રિય(રૂપ) છેજ પણ રૂપ આદિ વિષયોમાં પ્રવૃત્ત થવા માટે તેનેચથુ આદિ ઇન્દ્રિયોનો આશ્રય કરવો પડે છે. માટે તેમની/નોન્દ્રિ/રૂષનું ન્દ્રિય જેવા નામે ઓળખાય છે. અહીં કૃત શબ્દ કહ્યો તે કૃત નો અર્થ ગ્રુતજ્ઞાન કે શ્રુતનો વિષય એવો કર્યો છે. તેનો આશય એ છે કે શ્રુતજ્ઞાનની ઉપયોગ દશા પાંચ ઇન્દ્રિયનાનિમિત્તે નહીં પણ દ્રિય મનના નિમિત્તે કહી છે તેનો અર્થ એમ નથી કે મન્દ્રિય ના નિમિત્તે ફકત શ્રુતજ્ઞાન જ થાય છે. પણ ત્યાં એવું કહેવા માગે છે કે જેમ મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિય બંને નિમિત્તે થાય છે તેમ શ્રુતજ્ઞાન આ બંને નિમિત્તે થતું નથી પરંતુ ફકત એન્દ્રિય ના નિમિત્તે જ થાય છે. અહીં મનનો વિષય જે “શ્રુત” બતાવેલ છે તે બાસ્કૃત અર્થમાં છે. શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી દ્રવ્યગ્રુત થાય, તે દ્રવ્યશ્રુત મુજબ મનસંબંધિઅવગ્રહાદિ પ્રવર્તે છે. તેના વડે તત્વાર્થનું પરિચ્છેદક એવું આત્મપરિણતિરૂપવિશેષજ્ઞાન થાય છે. તે જ્ઞાનએ ભાવકૃત. જેમ કે કોઈએ “ધર્મદ્રવ્ય' એવો શબ્દ કહ્યો તે સાંભળતાજ શાસ્ત્રમાં વાંચેલ કે કોઈના ઉપદેશ થી જાણેલ ગતિeતું વાળા ધર્મદ્રવ્ય નો બોધ થઈ જાય છે. અને તેજ મનનો વિષય છે. આ પ્રમાણે સંપૂર્ણ તત્ત્વાર્થ કે દ્વાદશાંગીના સમસ્ત વિષયનો જે વિચાર થવો કે કરવો તે મનનું કાર્ય છે. તેથીજ નિન્દ્રિય મનનો વિષય ગ્રુત કહ્યો છે. અહીં તેનો વિકૃત એવો અર્થ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy