SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અધ્યાયઃ ૨ સૂર 15 એટલા માટેજ કર્મેન્દ્રિયોને અલગ ન ગણતાં પાંચ જ્ઞાનેન્દ્રિયો નેજ ગણી છે. અને તે સંખ્યાબરાબર છે. માટેજસ્વોપજ્ઞ ભાષ્યની સિધ્ધસેનીયટીકામાં પબૈવન્દ્રિયળ ભક્તિ એમ લખી દીધું છે. યિ: સાધારણ રીતે રેંદ્ર એટલે આત્મા(જીવ),તેને ઓળખવાની નિશાની તે વ્ય: કર્મની પરતત્રતા હોવા છતાં અનન્ત જ્ઞાનાદિ શકિતઓનો સ્વામી ન્દ્ર આત્મા કહેવાય છે. આ ઇન્દ્રભૂત આત્માના અર્થ-ગ્રહણમાં કારણભૂત “ઇન્દ્રિય” કહેવાય છે. ડું ના ઓળખ ચિહ્ન ને ન્દ્રિય કહે છે. અહીં ક્લિક ઓળખ ચિહ્ન શબ્દથી પાંચ અભિપ્રાય કહ્યા છે. [ઇન્દ્રશબ્દની ઓળખ આપીને પછી પણ આ પાંચ અભિપ્રાયોનો સંબંધ જોડેલ છે.] (૧) {ન્દ્રબ્લિમ:- ઇન્દ્રનું જ્ઞાપક-બોધક ચિહ્ન-અવિનાભાવિ, અંતર્લિન-અવગમકારી (બોધકારી) ચિહ્ન તે જ ઇન્દ્રિય (૨) દ્રષ્ટિમ:- ઈન્દ્ર (જીવ) દ્વારા પોતપોતાના કાર્યોમાં આજ્ઞપ્ત (સૂચિત રીતે પ્રવર્તે તે ઇન્દ્રિય (૩) દ્રષ્ટમ:- ઇન્દ્ર (જીવ) દ્વારા જોવાયેલ-ફકત જોવા માત્રથી પ્રાપ્ત થયેલ કે દર્શન ઉપલબ્ધિથી ગ્રહણ કરેલ. (૪) ડુંકૃષ્ટમ-ઇન્દ્ર (જીવ) દ્વારા ઉત્પન્ન તે ઈન્દ્રિય (૫) ડુંન્દ્રગુણ:- ઇન્દ્ર (જીવ) દ્વારા સેવિત અર્થાત્ જેના દ્વારા જીવ શબ્દાદિ વિષયોને ગ્રહણ કરે તે ઈન્દ્રિય. -ઈન્દ્ર એટલે જીવ. કેમ કે ઐશ્વર્યને ધારણ કરે છે માટે તે ઇન્દ્ર કહેવાય છે. સંપૂર્ણ દ્રવ્યોમાં જીવનું જ ઐશ્વર્ય જોવા મળે છે. કેમ કે અનાદિ સંસારને ભોગવતાસ્વભાવથી ઈશ્વર (માલિકી પણાના) ભાવના યોગ થી સમગ્ર જગતનું ઐશ્વર્ય ભોગવે છે. અથવા સમસ્ત વિષયોમાં તેના ઉત્કૃષ્ટ ઐશ્વર્યનો સંબંધ છે. આ રીતે જીવ બધાં દ્રવ્યોનો સ્વામી અને સમસ્ત વિષયનો ઉત્કૃષ્ટતયા ભોકતા છે. તેથી જ તે ઈન્દ્ર છે. અને તેના ઓળખ ચિહ્ન ને ન્દ્રિય કહે છે. ઉપરોકત પાંચ અભિપ્રાયોનો સંબંધ - ઇન્દ્ર અને ઇન્દ્રિયો ની ઓળખ આપી ઓળખ ચિહ્ન ના પાંચે અભિપ્રાયોનો અહીં ટુંકમાં સંબધ જોડે છે. (૧) ઈન્દ્રિયો જીવને સૂચિત કરે છે. (૨) ઈન્દ્રિયો જીવથી આજ્ઞા પામી પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાવાળી હોય છે. (૩) ઈન્દ્રિયો જીવને પ્રદર્શિત કરે છે. અથવા જીવ દ્વારા ઈન્દ્રિયો સ્વયં પ્રદર્શિત થાય છે. (૪) ઈન્દ્રિયો,જીવના નિમિત્તે ઉત્પન્ન થાય છે. (૫) ઈન્દ્રિયોથકીજીવ, ઇષ્ટવિષયોનું પ્રીતિપૂર્વકસેવન કરે છે. તેથી તેને જીવની લિંગ ( ચિહ્ન) કહી છે. જ વિશેષ - આ પાંચ ઈન્દ્રિયો બધા સંસારીને હોતી નથી કેટલાકને એક-કેટલાકને બે એ રીતે એક એક વધતા પાંચ ઈન્દ્રિયો સૂધી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy