SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૬ જન્ય લેશ્યા સમજવી. –જેના મતે યોગપરિણામરૂપ લેગ્યા છે તેના મતે ત્રણ યોગ ને ઉત્પન્ન કરનાર કર્મોદયથી ઉત્પન્ન થયેલી લેશ્યા સમજવી. તત્વાર્થવૃત્તિમાં તોલેશ્યા–મનોયોગના પરિણામરૂપ જ કહી છે. અહીં સ્વાભાવિકપ્રશ્ન થાય કે કર્મપ્રકૃતિમાં કયાંય લેગ્યા નથી આવતી તો તત્વાર્થવૃત્તિમાં વેશ્યા ને મનોયોગના પરિણામરૂપ કેમ કહી? સમાધાનઃનામકર્મમાં “મન:પર્યાપ્તિ” આવે છે આ પર્યાપ્તિ કરણ વિશેષ છે કે જે કરણ વડે મનોયોગ્ય પુલને ગ્રહણ કરી ચિંતવના કરાય છે. તે મનરૂપ થયેલા પુદ્ગલ સહકારી કારણ હોવાથી મનોયોગ કહેવાય છે. આ મનોયોગનું પરિણામ તે વેશ્યા. ટુંકમાં કહીએતો મનોયોગથીલેશ્યા ઉત્પન્ન થાય છે અને કષાયથી તેમાં તીવ્રતા-મંદતા આવે છે. આ તીવ્રતા–મંદતા આધારે થતા આત્મપરિણામના છ ભેદતે કૃષ્ણ–નીલ -કાપોત અને તેઉપદ્મશુકલ લેગ્યા. જેમ સ્ફટીક રત્નને કૃષ્ણ–નીલ વગેરે દ્રવ્યોનો સંયોગ થતા તે તે વર્ણાનુસાર પરિણામ આવે છે તેમ કર્મોના સંયોગથી આત્માનું તેવું પરિણામ આવે છે જેને કૃષ્ણાદિ લેશ્યા કહી છે # –દવ્યલોક પ્રકાશ મુજબ વેશ્યા સ્વરૂપ (૧૬) કૃષ્ણ લેશ્યા - કૃષ્ણ અર્થાત કાળા વર્ણની,કડવા રસથી યુકત, દુર્ગધ થી ભરેલી, શીત-ક્ષ સ્પર્શવાળી કહી છે (૧૭)નીલલેશ્યાલીલારંગની, તીખારસથીયુકત, કૃષ્ણલેશ્યાથી મહત્તરદુર્ગધવાળી, વિશેષ શીત અને ઋક્ષ સ્પર્શવાળી કહી છે (૧૮)કાપોત લેશ્યા:- શણના પુષ્પના સરખી (પ્રાયઃ કથ્થઈ જેવી) ખટાશ ના રસથી યુકત મહત્તમ દુગંધવાળી, સવિશેષ શીત અને ક્ષ સ્પર્શવાળી કહી છે ૪ આ ત્રણે લેશ્યા અપ્રશસ્ત-અશુભ-અંકલેશકારી અને દુર્ગતિને દેનારી છે. (૧૯)તેજોલેશ્યા - લાલ વર્ણની આમ જેવા મીષ્ટ રસથીયુકત પ્રશસ્ત-નિર્મળ ગંધવાળી,સ્નિગ્ધ તથા ઉષ્ણ સ્પર્શવાળી કહી છે. (૨૦)પદ્મ લેશ્યા કરેણ કે ચંપાના પુષ્પના જેવી વર્ણવાળી,તેજો વેશ્યા કરતા વિશેષ સુગંધયુકત અને વિશેષ સ્નિગ્ધ તથા ઉષ્ણ સ્પર્શવાળી કહી છે. (૨૧)શુકલેશ્યા - અતિ શ્વેત વર્ણવાળી,શેરડી કે સાકર જેવા મીષ્ટ રસવાળી,તેજોપધ લેશ્યા કરતા વિશેષ સુગંધયુકત-સૌથી નિર્મળ અને સવિશેષ સ્નિગ્ધ તથા ઉષ્ણ સ્પર્શવાળી કહી છે. જ આ ત્રણે વેશ્યા પ્રશસ્ત-શુભ-શાન્તિદાયિ-સદ્ગતિમાં લઈ જનારી છે. જ લેશ્યા બે પ્રકારે પણ બતાવાઈ છે-દવ્યલેશ્યા અને ભાવલેણ્યા શરીરનો વર્ણ તે દવ્યલેશ્યા અને અંતરંગ પરિણામ તે ભાવલેશ્યા. જ બીજી રીતે લેશ્યાના શુભ અને અશુભ બે ભેદ કહયાં છે તેમાં શુભલેશ્યામાં કૃષ્ણનીલ-કાપોત ત્રણ પેટાભેદો ગણાવેલા છે. શુભલેશ્યામાં તેજસ-પદ્ય-શુકલ ત્રણ પેટા ભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy