SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [2] સૂત્ર મૂળ - સખ્યત્વવારિ 0 [3] સૂત્ર પૃથક-સીત્વ - વારિ U [4] સૂત્રસાર-સમ્યક્ત [અને]ચારિત્રએિબે ઔપશમિક ભાવ છે] (અર્થાત ઉપશમ સમ્યક્ત અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદો ઔપથમિક ભાવના છે) U [5] શબ્દશાનઃસગવવ: સમ્યક્તતત્વરુચિતત્વશ્રધ્ધા=દર્શન વારિત્ર: (૧) સાવદ્ય વિરતિ રૂપ (૨) સ–અસત્ ક્રિયા પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણ રૂપ U [6]અનુવૃત્તિ - (૧) પરમિક્ષાવિ માવૌ સૂત્ર ૨:૧થી ઔપરમ શબ્દની અનુવૃત્તિ છે. (૨) દિ નવાગષ્ટ, સૂત્ર ૨ થી દ્ધિ ની અનુવૃત્તિ પણ અહીં છે તેમ કહી શકાય U [7] અભિનવટીકા-જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મો કહ્યા છે તેમાં સર્વ ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે આ મોહનીય કર્મના બે ભેદો છે–દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય દર્શનમોહનીયના ત્રણ ભેદ છે.-સમ્યક્વમોહનીય મિશ્રમોહનીય અનેમિથ્યાત્વમોહનીય. ચારત્રિમોહનીયના ના ૨૫ભેદ છે. ૧૬કષાય-નવનોકષાય. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રી વેદ, નપુંસકવેદ] ૧૬ કષાયમાં અનંતાનુબંધી–અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની–સંજવલન એ ચારે ક્રોધમાન-માયા-લોભ રૂપે અર્થાત્ ૪૮૪= ૧૬ કષાય. આટલી પ્રસ્તાવના પછી ઔપશમિક ભાવનાબંને ભેદ સ્પષ્ટ કરવાનું સરળ બનશે. જો કે સમ્યક્ત સિમ્યગ્દર્શન પ્રથમ અધ્યાય-માં કહેવાઈ ગયું છે અને ચારિત્ર વિશે નવમા અધ્યાયમાં વિચારવાનું છે. છતાં અહીં ઉપશમ ભાવમાં તેનો સામાન્ય–અર્થ સ્પષ્ટ કરેલ છે. અહીં ઔપશમિક શબ્દથી ઉપશમ ભાવ અર્થ લેવો. સમ્યક્ત-ચારિત્ર શબ્દને આત્માનો પર્યાય સમજવો. જ ઉપશમ સમ્યક્ત-સમ્યગદર્શનને આવરતા જે કર્મ છે. તે સિમ્યક્વમોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય ત્રણ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, અનંતાનું બંધી માન, અનંતાનુબંધી માયા, અંતાનુબંધી લોભ] ચાર–અનંતાનુબંધી કષાય-એ સાત કર્મપ્રકૃતિઓ ના દિર્શન સપ્તકનો ઉપશમ થવાથી તત્વોમાં જે શ્રદ્ધા કે રુચિ ઉત્પન્ન થાય છે તેને પથમિક ભાવનું સમ્યક્ત અર્થાત્ ઉપશમ સમ્યક્ત કહે છે. જ સમ્યક્ત ની ઉત્પતિ માટે યોગ્યતા અથવા નિમિત્તો જણાવે છે (૧) કર્મયુકત ભવ્ય જીવ સંસારમાં અદ્ધપુદ્ગલ પરાવર્તન કાળ બાકી રહે ત્યારે ઉપશમસમ્યક્તને યોગ્ય થાય છે. (૨) આત્મામાં કર્મોની અન્તઃ કોડા કોડી સાગરોપમ સ્થિતિ બાકી રહે ત્યારે પણ તે સમ્યક્ત યોગ્ય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy