SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [7]અભિનવટીકા-આ સૂત્રમાં જે અનાહારકતાનો કાળ દર્શાવ્યો છે. તે સંસારી જીવને આશ્રીને છે. મુકત જીવને માટેતો અંતરાલગતિમાં આહારનો પ્રશ્ન જ નથી કેમ કે મુકત જીવ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરોથી રહિત હોય છે. સંસારી જીવને સૂક્ષ્મ શરીર હોવાને લીધે અંતરાલગતિમાં આહારનો પ્રશ્ન ઉદ્ભવે છે. અર્થાત્ આહાર હોય પણ ખરો અને ન પણ હોય.તેથીજ સૂત્રકાર જણાવે છે કે પરભવમાં જતા અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે એટલે કે આહાર લેતો નથી સ્વોપજ્ઞ ભાષ્યઃવિગ્રહ ગતિને સારી રીતે પ્રાપ્ત કરેલ જીવ ? –એક સમયને માટે અથવા બે સમયને માટે –અનાહારક હોય છે (આહાર લેતો નથી) –પરંતુ બાકીના કાળમાં પ્રતિ સમય આહારને ગ્રહણ કરે છે. # એક કે બે સમય કઈરીતે અનાહારક હોય? તેનું સમાધાન અહીં એક એક પદની સમજ સાથે આપેલ છે. જ ગાહાર:- આહાર એટલે સ્કૂલ શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવા ભવાન્તર સમયે વળી એ શરીરને યોગ્ય એવા કેટલાંક પુદ્ગલો જીવના યોગને લીધે લોમાહાર વડે એના સમ્બન્ધમાં આવે છે. ઔદારિક પુદ્ગલોનું આ આદાન(અર્થાત ગ્રહણ કરવું) એનું નામ આહાર કહેવાય -લોકપ્રકાશ સર્ગ૩ -શ્લોક.૧૧૦૦-૧૧૦૯ ૪ આહાર એટલે (અહીં)ઔદારિક વૈક્રિયિક પોષકપુદ્ગલોનું ગ્રહણ કરવું (તમ સમજવું) * અનાહાર: આહારનો અભાવ તે અણાહાર. જ શરીર પ્રાયોગ્ય પુગલ પિંડનું ગ્રહણ ન કરવું તે અનાહાર. પ્રદર કયારે? જીવ જયાં પૂર્વ શરીરને મુકીને છૂટે છે ત્યાં છૂટતા જ તે શરીર લાયક આહાર લે છે, અને જયાં જાય છે. ત્યાં પણ પહોંચતાની સાથે જ તે શરીરને યોગ્ય આહાર લે છે આ બંને સમયે જીવ માદાર હોય છે. ઋજુગતિ વાળા કે એક વિગ્રહ ગતિ સંસારીજીવો માદાર જ હોય છે. કેમ કે (૧) 28 જુગતિ વાળા જીવો જે સમયે પૂર્વ શરીર છોડે છે તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે. તેમાં સમયાંતર થતું નથી એથી ઋજુગતિનો સમય ત્યાગ કરેલા પૂર્વભવના શરીરદ્વારા ગ્રહણ કરેલા આહારનો સમય છે. અથવા તો નવીન જન્મસ્થાને ગ્રહણ કરેલા આહારનો છે. (૨) એકવિગ્રહા ગતિઃ- એક વિગ્રહ વાળી ગતિ માં પણ જીવ આહારક હોય છે કેમ કેપ્રથમસમયે તેને પૂર્વશરીર દ્વારા ગ્રહણ કરેલ છે. અને બીજા સમયે તેનવીન શરીર ધારણ કરવા માટે આહારક બને છે. જ અનીરવ કયારે? અંતરાલગતિ ને પ્રાપ્ત કરેલ જીવને બે કરતા વધારે જેટલો સમય લાગે તેટલો સમય તે જીવ અનાહારક અર્થાત આહાર રહિત હોય છે. જો અંતરાલગતિ ત્રણ સમયની (બે વિગ્રહ વાળી) હોય તો તે જીવ એક સમય અનાહારક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy