SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૪ જેમ કે સ્મૃતિજ્ઞાનનો હેતુ મન છે. મનોવૃત્તિ-મનનું વિજ્ઞાન-મનના ભાવો કે વર્તન, વિષયજ્ઞાન જન્ય પરિણતિ. આવા કોઈપણ શબ્દોથી ઓળખવાની પ્રવૃત્તિ કે જેનું નિમિત્ત મન હોય. તે અનિન્દ્રિય નિમિત્ત. ગોધરાન - સામાન્યથી જયાં સ્પર્શનાદિ ઇન્દ્રિયો નથી અને મનના નિમિત્તનોપણ જયાં આશ્રય કરાતો નથી પરંતુ કેવળ મતિજ્ઞાન આવરણીયનો ક્ષયોપશમ જ તે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત છે. જેમ વેલડી કે વેલાઓનું ઉપર-ચડવું-તેમાં સ્પર્શન નિમિત્ત પણ નથી અને મનનું નિમિત્ત પણ નથી. તેથી ત્યાં મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમ જેએક માત્ર નિમિત્ત ગણાય છે. તેને ઓઘજ્ઞાન કહ્યું. તે પણ અનિન્દ્રિય નિમિત્તે જાણવું. જ ઇન્દ્રિય-અનિન્દ્રિય-ઉભયનિમિત્ત (૧)એક જ ઈન્દ્રિયનિમિત્ત જ્ઞાન ને મતિ કહ્યું. જેમ કે પૃથ્વિ-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ એક ઈન્દ્રિયવાળા છે. તદુપરાંત બે ઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયવાળા તથા અસંજ્ઞિ પંચેન્દ્રિયને મનનો અભાવ છે. આ બધાંને માત્ર ઇન્દ્રિય નિમિત્ત જ છે. (૨)અન્દ્રિયનિમિત્તક એટલે કે માત્ર મનવિષયક એવું જ્ઞાન સ્મૃતિજ્ઞાન છે. વળી બીજા સંજ્ઞા ચિંતા એ જ્ઞાનમાં ચક્ષુ વગેરેના વ્યાપારના અભાવે ઈન્દ્રિય નિરપેક્ષ ગણ્યા છે. (૩)જાગ્રત અવસ્થામાં ઈન્દ્રિય અનિન્દ્રિયનિમિત્ત ગયું. જેમ કે મનના ઉપયોગ પૂર્વક મિન સહિત] સ્પર્શીને આ ઉષ્ણ છે આ શીત છે તેવું જ્ઞાન થાય. અહીં તેની ઉત્પત્તિમાં ઇન્દ્રિય અને મન બંને નિમિત્ત ભૂત છે. આ જે ભેદો દર્શાવ્યા તેમાં અંતરંગ કારણ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તગણ્યું પણ પારમાર્થિક કારણ તો મતિજ્ઞાનાવરણ કર્મોનોક્ષયોપશમ જ છે. આમ છતાં ક્ષયોપશમ એ સર્વ સાધારણ કારણ હોવાથી મુખ્ય વૃત્તિએ કહેવાતું નથી. પણ ભાષ્યકારે દ્રિય નિમિત્તમ્ નન્દ્રિય નિમિત્તમ્ ૨ એમ લખીને રે કાર દ્વારા ક્ષયોપશમ નિમિત્ત જ ગણાવેલ છે. આં ૨ કારનો ઉલ્લેખ ઓઘસંજ્ઞા દ્વારા ભાષ્યકારે પોતે જ પ્રકારેલ છે. જ કેટલીક શંકા (૧)અનિન્દ્રિય શબ્દ ઇન્દ્રિયનો નિષેધ પરક છે. તો તેને “મનમાં કઈ રીતે ઘટાવ્યું? અહીં ન– સમાસમાં નગ્ન “ષટ્ અર્થમાં સ્વીકારેલ છે. નિષેધ અર્થમાં નહીં. રૂષ ન્દ્રિય ત મન્દ્રિય. જેમકવિઓ શૃંગારરસના વર્ણનમાં અનુક્ર ન્યા લખે છે ત્યારે કન્યા કંઈ પેટ વગરની નથી હોતી. પણ કશોદર અર્થમાં હોય છે. અથવા ગર્ભધારણ કરવાને લાયક નહીં તેવી નાના પેટવાળી કન્યા અર્થ ત્યાં ગ્રહણ કરાય છે. (૨)નિદ્રિય માં ડૂત અર્થ લેવાની જરૂરશી? “મન”, ચહ્યુ વગેરેની માફક નિયત કરેલા દેશવર્તી વિષયોને જાણતું નથી પણ અનિયત વિષયવાળું છે. કાળાન્તરે મન અવસ્થિત પણ રહેતું નથી એટલે ત્યાં “ફકત્' ભાવ કહ્યો છે. મનને ગુણદોષનોવિચારતથાસ્મરણ કરવું વગેરે કાર્યોમાંઇન્દ્રિયોની અપેક્ષાનથી રહેતી તેમજ ચલુ વગેરે માફક બાહ્ય ઉપલબ્ધિ પણ હોતી નથી તેથી તેને અત:કરણ કહે છે. (૩)ઇન્દ્રિયોની શકિત કેટલી? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy