________________
જૈનસાહિત્યમાં ગ્રન્થકાર તરીકે આગળ પડતે ભાગ લીધેલે છે, તેઓએ સં. ૧૭૬૦ માં તે સતસંધાન નામનું કાવ્ય બનાવ્યું છે, એટલે લગભગ સવાસો વર્ષ જેટલે ગાળે તે આ ગણતરીમાંજ થઈ જાય છે, માટે પ્રસ્તુત મેઘવિજય ઉપાધ્યાય બજાજ છે, એમ ચેકકસ થઈ આવે છે.
આ મેઘવિજ્ય ઉપાધ્યાયની પૂર્વપરંપરા આ પ્રમાણેની છે – ૧ હીરવિજ્યસૂરિ, ૨ કનકવિજય, ૩ શીલવિય, ૪ કમલવિયે, ૫ કૃપાવિજય, ૬ મેઘવિજય.
આ મેઘવિજ્યજી ઉપાધ્યાયે બનાવેલા ગ્રંથે પિકી કેટલાક પ્રસિદ્ધ આ છે –
૧ દેવાનંદાશ્રુદયકાવ્ય, સં. ૧૭૨૩ ના આસો સુદિ ૧૦. મે સાદડીમાં બનાવ્યું. ૨ માતૃકાપ્રાસાદ, સં. ૧૭૪૭ના પિષ માસમાં ધર્મનગરમાં બનાવ્યું. ૩ તત્ત્વગીતા, ૪ શાન્તિનાથ ચરિત્ર, ૫ દિવિજય મહાકાવ્ય, ૭ સપ્તસધાનમહાકાવ્ય, સં. ૧૭૬૦ માં બનાવ્યું, ( આના ઉપર ટિપ્પણ પણ લખ્યું છે ), ૭ વર્ષમહોદય, ૮ ચંદ્રપ્રભાવ્યાકરણ, સં. ૧૭૫૭ માં આગરામાં બનાવ્યું છે, ૯ ધમમંજૂષા, ૧૦ યુક્તિપ્રબંધનાટક, ૧૧ હેમચરિકા, ૧૨ મેઘદૂતસમસ્યાલેખ અને ૧૩ ખરતરગચ્છીય જ્ઞાનવિમલના શિષ્ય વલ્લભે પાધ્યાયે બનાવેલ “વિજ્યદેવ માહાસ્ય ઉપર પ્રત્યેનું પરિટન, ૧૪ ભક્તામરસ્તેત્રવૃત્તિ વિગેરે ગ્રંથ સંસ્કૃતમાં બનાવ્યા છે, જહારે શાસનદીપક સઝાય, જૈનધર્મદીપક સજઝાય, આહારગવેષણાસાય, વિજયદેવનિર્વાણરાસ, દશમત સ્તવન અને વિશી વિગેરે ભાષાની કૃતિ પણ હેમની બનાવેલી પ્રાપ્ત થાય છે.
ઉપરની કૃતિ ઉપરથી સહજ જોઇ શકાય છે કે, શ્રીમેઘવિજય ઉપાધ્યાય અઢારમી શતાબ્દિમાં એક પ્રખર વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org