SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાનું નામ દેવજીશાહ હતું, અને માતાનું નામ હતું જયવંતી. તેઓ બે ભાઈ હતા. રૂપજી અને રામજી. એક વખત આચાર્ય વિજયસેનસૂરિ ખંભાતમાં પધાર્યા હતા, તે વખતે વીસલનગરના દેવજીશાહ, પિતાના બે પુત્રો અને પિતાની સ્ત્રી સાથે આચાર્યશ્રીને વંદન કરવા આવ્યા હતા. આચાર્યશ્રીની દેશનાથી હેમને વૈરાગ્ય ઉત્પન્ન થયે હતે. અને તેથી હેમણે દીક્ષા લેવાને પણ વિચાર કર્યો. એટલું જ નહિ પરતું પિતાના પુત્ર અને સ્ત્રીને આ વિચાર જણાવતાં ચારે જણે દીક્ષા લેવી એ નિશ્ચય કર્યો. વિજયસેનસૂરિએ તે ચારે જણને દીક્ષા આપી હતી. રૂપજી અને રામજી કે જેઓ બે ભાઈ હતા, તેઓ નાં નામ અનુક્રમે રત્નવિજય અને રામવિજય પાડયાં હતાં. રત્નવિજય ડુંજ ચારિત્રપાળી સ્વર્ગવાસી થયા હતા; જહારે રામવિજય ન્યાય, વ્યાકરણ અને જતિષ વિગેરેના ગ્રંથ ભણી સારા વિદ્વાન્ થયા હતા. હેમનામાં સારી ગ્યતા આવતાં હેમને સૂરિજીએ પંડિતપદ આપ્યું હતું. શ્રીવિજયસેનસૂરિના સ્વર્ગવાસ પછી હેમની પાટ ઉપર સ્થાપન થયેલ શ્રીવિજ્યદેવસૂરિ, ધર્મસાગરજીના પક્ષમાં ભળ્યા હતા, તેથી સામવિજયજીઉપાધ્યાય, નંદિવિજ્ય ઉપાધ્યાય, મેઘવિજ્યઉપાધ્યાય, વિજયરાજ વાચક, ધર્મવિજય ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય, સિદ્ધિચંદ્રજી કવિ વિગેરે અને તેમના પક્ષના બીજા ગૃહસ્થની ઈછા વિજયસેનસૂરિની પાટે બીજા આચાર્ય સ્થાપન કરવાની થઈ હતી. આ આચાર્ય કેને સ્થાપવા? એ વાતને પરામશ થતાં દરેકે શ્રીરામવિજયજીને પસંદ કર્યા હતા, અને સં. ૧૯૭૩ ના પૈષ સુદિ ૧૨ બુધવારના દિવસે વિજય મુહુર્તામાં રામવિજયજીને આચાર્ય પદવી આપી વિજયસેનસૂરિની પાટે સ્થાપન કર્યા હતા, અને હેમનું વિજયતિલકસૂરિ એવું નામ આપ્યું હતું. હેમને આ પાટોત્સવ ઘણા આડંબર પૂર્વક થયે હતે. મકરૂબખાને તેમને સારૂ માન આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy