________________
કે પુસ્તકો લેવા માટે સૂરિજીએ ચેખી ના પાડી હતી, પરંતુ બાદશાહની ભલામણથી અબુલફજલના સમજાવવાથી હેને સ્વીકાર કર્યો હતો, અને પછી તે ભંડાર આગરામાં સ્થાપન કરાવવામાં આવ્યો હતો. તે પછી અમુક સમયે સૂરિજીએ બાદશાહને પર્યુષણના આઠ દિવસોમાં કોઈપણ જીવની હિંસા ન થાય, એ હુકમ બહાર પાડવા સૂચના કરી હતી. બાદશાહે આચાર્યશ્રીની નિસ્પૃહતા અને પરોપકારથી વધારે પ્રસન્ન થઈ ચાર દિવસ પિતાની તરફના ઉમેરી, એકંદર બાર દિવસ (શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા સુદિ ૬ સુધી) નાં છ ફરમાન પત્રો લખીને ગુજરાત, માળવા, અજમેર, દીલ્લી, ફતેપુર અને લાહોર એમ પાંચ સ્થળે મોકલાવ્યાં હતાં, અને છઠું સૂરિજીને પિતાને આપ્યું હતું. આ સિવાય સૂરિજી અને હેમના શિ-શાન્તિચંદ્ર ઉપાધ્યાય અને ભાનુચિ સમ્રા વારંવાર મળી ધીરે ધીરે સારે પ્રભાવ પાયે હતું, અને હેના પરિણામે બાદશાહની જીવદયા માટે ઘણી ઉંચી લાગ શુઓ પેદા થઈ હતી. નિદાન, બાદશાહે પિતાના રાજ્યમાં એક વર્ષમાં છ મહીના સુધી જીવદયા પાળવાના હુકમ બહાર પાડયા હતા. ઘોડા, ગાય, બળદ, ભેંશ અને પાડા વિગેરે જેને વધ બિલકુલ બંધ કરાવ્યો હતો. ઘણું પક્ષીઓને પાંજરામાંથી છૂટાં કર્યા હતાં, ઘણા કેદીને મુક્ત કર્યા હતા, અને હેન સાથે હીરવિજ્યસરિના ઉપદેશના પ્રભાવથી જીજીયા વેરો બંધ કર્યો હતો, અને શત્રુંજયાદિ તીર્થી મુક્ત કર્યા હતાં. વળી સૂરિ અને ‘જગન્નુરૂ” નું બિરૂદ પણ આપ્યું હતું.
અકબર બાદશાહ જેવા એક મુસલમાન સમ્રા ઉપર જૈને સાધુઓએ પ્રભાવ પાડ હતું, અને તેઓને બાદશાહ ઘણું ચાહતો હતો, એ વાતનો ઉલ્લેખ પ્રાચીન મુસલમાન ગ્રંથકારે, કે જેઓ અકબરના દરબારમાં તે વખતે વિદ્યમાન હતા, હેમણે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org