SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ગામના નામ માત્રમાં જળવાઈ રહી છે. આજે આપણે જે પંચાસરા પાર્શ્વનાથના દહેરાસરના ચેાગાનામાં ભેગા મળ્યા છીએ, તે દહેરાસરની પંચાસરા પાર્શ્વનાથ ' તે નામે જાણીતી પ્રતિમા, અર્વાચીન પાટણના, પ્રાચીન પાટણના અને પંચાસરના ઇતિહાસપ્રવાહને અખંડિત વહેવડાવી રહેલ છે. પ્રાચીન પાટણના ઇતિહાસમાં, તેની સંસ્કૃતિમાં, વનરાજને સંસ્કૃતિના બાલ્યાવસ્થામાંથી જ પયપાન કરાવનાર શીલગુસૂરિના હાથે પુરાતન પાટણની એ યશગાથામાં, પ્રાથમિક સંસ્કાર રેડાયા છે. વીર વનરાજે ગુજરાતની વિરાટ શક્તિને જાગ્રત કરી, ગુજરાતને વીરતાનાં પાણી પાયાં છે. એ વીર વનરાજની આરાધકદશાની પ્રતિમાનાં દર્શન પણ આપ ‘પંચાસરા પાર્શ્વનાથ’ના દહેરાસરમાં કરી શકશે. २५ પ્રાચીન પાટણના ઘેરાવા અઢાર માઈલ હતા, જ્યારે અર્વાચીનને માત્ર પાંચ માઈલ છે અને તેમાં વસ્તીના અભાવે પડેલ નિર્જન સ્થાનને પણ સમાવેશ થાય છે. પાટણની અવસ્થાએ કેટલા યે રાજપલટાના ઝંઝાવાત, અને કુદરતના કાપ અનુભવ્યા છે. રાજપલટા અને કુદરતના એ વંટાળમાં પાટણને પ્રતિહાસ પણ સ્થિર રહી શકયા નથી. અને એ ઇતિહાસને ગૌરવવન્ત બનાવતા પાટણના જ્ઞાનભંડાર, સંસ્કારભંડા૨ાની મહામૂલી એ મિલકત આ ઉલ્કાપાતની અસરથી વિમુક્ત રહી શકી નથી. આપની નજરે પડતા પાટણના આ જ્ઞાનભંડારા એ સંપૂર્ણ રત્નમાળાઓ નિહ પણ બચી ગયેલ રસ્તે જ છે. પાટણના રાજકીય ઇતિહાસ એ જ ગુજરાતના મધ્યકાળને ઈતિહાસ છે. વનરાજે શરૂ કરેલ ચાવડાવંશને રાજકીય ઇતિહાસ પાટણના રાજકીય પ્રતિહાસ સાથે ૧૯૬ વર્ષ જોડાયેલ રહી, આખરે ભુભટ ઉર્ફે સામંતસિંહના ખૂનમાં અંત પામે છે અને પાટણમાં સેાલંકીઓના તેજસ્વી રાજઅમલની શરૂઆત તેના ભાણેજ મૂળરાજના લાહીભીના હાથે થાય છે. મૂળરાજ, ભીમદેવ પહેલે, કરણ્, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે પાટણના ઇતિહાસ-ગરવી ગુજરાતને તિહાસ, એક પછી એક ઉત્તરાત્તર વધુ અને વધુ તેજસ્વી બનાવતા જાય છે. ભીમદેવ પ્રાયશ્ચિત્તરૂપે રુદ્રમાળ આરંભે છે, ત્રિપુરુષપ્રાસાદ બંધાવે છે, રાણી ઉદયમતી “ રાણીની વાવ” બંધાવે છે, કરણ કરાવતી-હાલનું અમદાવાદ-વસાવે છે, મેઢેરા પાસે કરણસાગર સરાવર બંધાવે છે. કરણરાજ પછી પાટણની ગાદીએ આવનાર સિદ્ધરાજનું નામ, કાણુ એવા હશે જેણે ગુજરાતમાં જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy