SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસવત સત્ર : નિબંધસંગ્રહ ૨૮૧ તાઓનો ઉલ્લેખ કર્યો છે. જેથી તે નૃપશ્રેષ્ઠ કેવા યજ્ઞ કર્યા હતા તેનું ભાન થાય છે. તૃણાવિંદ, શુક્ર, શતરુદ્ધો અને શતરુદ્ધથી પણ અધિક અપાંનપાતની નોંધ તેમાં આપવામાં આવી છે. ૨૪ શતરુદ્ર વિધાન બ્રાહ્મણ ભાગમાંથી રચાયું છે, જેમાં શિવનું યજન, યાજન, પઠન, અભિષેક, હેમ વિગેરે વિવિધ વિભાગે છે. આજે કરવામાં આવતા લઘુરુદ્ર, મહાક, અતિરુદ્ર, વગેરે યજ્ઞો શતરુદ્ધના અંતર્ગત યજ્ઞો છે. અપાનપાત્ સૂત વેદમાંથી મળી આવે છે. આ તથા ઇંદ્રસૂકતવડે સિદ્ધનૃપે બલિદાન આપ્યાં હતાં. યજ્ઞકાર્યમાં દરેક દિગીશને તેને મંત્ર વડે બલિદાન આપવામાં આવે છે. પ્રતિષ્ઠાદિ કાર્યોમાં તેમજ નવીન પ્રાસાદ, ગૃહ, મંદિર, વગેરેમાં વાસ્તુમંડલનું વિધિયુક્ત સ્થાપન કરી તે દેવનું પૂજન, અર્ચન, હોમ, વગેરે કરવામાં આવે છે. તેમાં “શુનાસી ” અને “વાસ્તષ્પત્ય, ” આદિ સૂકતેને જપ અમુક સમયે આવશ્યક છે. દયાશ્રયકારે તે વસ્તુની નેંધ લેતાં આ બધાં સૂકતે સિદ્ધરાજ જાતે ભણતો હતે એમ જાહેર કર્યું છે. ૨૫ આ સિવાય રાજેન્દ્ર સિદ્ધરાજે ગૃહમેધી (ગૃહસ્થાશ્રમી)ની પેઠે, સર્વ ગૃહ્ય કાર્યો કર્યા હતાં એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. આથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, આચાર્યશ્રીએ ગૃહ્યકર્મો અને તેનાં વિધિ-વિધાન સારી રીતે વિચાર્યા હતાં. નહીંતર તેનું આવું સૂમ વિવેચન, સૂકતો, દેવતાઓ, વગેરેહ વ્યવસ્થિત રીતે કરી શકે તે સંભવિત નથી. તેમણે વૈદિક સાહિત્યને ઉલ્લેખ કરતા કેટલાક ગ્રંથે, અને ગ્રંથકારોને નિર્દેશ કર્યો છે, જેની વિસ્તૃત વિચારણા વૈદિક સાહિત્યના વિભાગમાં કરી ગયા છીએ. તદુપરાંત મેહ, જલ, કઠ, કરિ, તિત્તિર અને વરતંતુનાં નામ જણાવ્યાં છે. ૨૬ આ વિદ્વાનોએ કેવાં શાસ્ત્રો રચ્યાં હતાં, તેનાં કંઈપણ સૂચને ઉપલબ્ધ થતાં નથી. પરંતુ દયાશ્રયકારને તેમના ગ્રંથને સારો પરિચય હતો એમ જરૂર લાગે છે. આ સિવાય શિલાલિપ્રેત નટસૂત્ર” કાશ્યપનું “પુરાણ” કૈશિકનું પુરાણ', પારાશર્ય પ્રોક્ત “ભિક્ષસૂત્ર', પિંગલેક્ત શાસ્ત્ર, ૨૪ એજન, સ. ૧૫, . ૧૦૬ ૨૫ એજન, સ. ૧૫, પ્લે. ૧૧૦ ર૬ એજન, સ. ૧૬ લો. ૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy