SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સઃ અહેવાલ અને ૫ ના દિવસોમાં એ ઉત્સવ ઊજવવાને નિર્ધાર કર્યો છે. ઉત્સવ સંબંધી વધારે વિગતે નક્કી થયે આપને જણાવવામાં આવશે. આ પ્રસંગે આપને આપની કાંઈક સાહિત્યાંજલિ સમર્પણ કરવાની, અર્થત પ્રસંગને અનુરૂપ કોઈ એક સુંદર લેખ કે નિબંધ લખી મેકલવાની આગ્રહ અને આદરપૂર્વક વિનંતિ કરવામાં આવે છે ઉત્સવની સભામાં નિબંધવાચન થશે અને પછીથી ઉક્ત લેખનિબંધાદિને સુંદર રીતે પુસ્તકાકારે પ્રકટ કરવામાં આવશે. આશા છે કે, આપ આ વિનંતિને સપ્રેમ સ્વીકાર કરશો અને યથાવસર જલદી આપને લેખ કાર્યાલયમાં મોકલી આપી અમને આભારી કરશે. લિ. કનૈયાલાલ મા. મુનશી પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ તા. ક. આપને લેખ નીચેને સરનામે મોકલશે : મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ (૦, એસપ્લેનેડ રોડ; મુંબઈ નં. ૧. શ્રી હેમચંદ્રાચાર્ય જેના જ્ઞાનમંદિર'ના ઉદ્દઘાટન વિધિ અંગે નીચેની આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી હતી :– શ્રી. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરને ઉદ્દઘાટન વિધિ ચાલુક્ય વંશના પરમભટ્ટાર્કે શ્રી જયસિંહ સિદ્ધરાજ અને શ્રી કમારપાળના પાટનગર અણહિલવાડ પાટણના જૈન જ્ઞાનભંડારો જગવિખ્યાત છે. આ ભંડારોમાં પાટણની સ્થાપના થઈ ત્યારથી જૈન સાધુઓએ તેમજ અન્ય વિદ્વાનોએ તૈયાર કરાવેલા જૈન અને જેનેતર સાહિત્યના અમૂલ હસ્તલિખિત ગ્રન્થને સંગ્રહ કરવામાં આવ્યું હતું. ભંડારોના રક્ષણની વ્યવસ્થાના અભાવે કાળક્રમે ઘણા ગ્રન્થને નાશ થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy