SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ and Its Literature માં જૂની ગુજરાતી ભાષાનાં મૂળ તપાસતાં, શ્રી. હેમચંદ્રાચાર્યની વિદ્વાન મૂર્તિ શ્રી. મુનશીને માનસપટ પર વધુ ને વધુ રેખાંકિત થતી જણાય છે. આ પછી કરાંચી મુકામે ઈ. સ. ૧૯૩૭ ના ડિસેમ્બરમાં ભરાયેલા તેરમા ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનમાં સૈકાંથી નામાવશેષથી માત્ર સ્મરાતા આચાર્યશ્રીના ગુજરાત અને ગુજરાતીઓ પરના મહદ્ અણુ સ્વીકારને જ માત્ર નહિ, પણ તેમની ભુલાઈ ગયેલી અમરતાને પુનઃ સાંગોપાંગ સજીવન કરવાનો સુયોગ પ્રાપ્ત થશે. સુભાગ્યે એ જ સંમેલનના પ્રમુખ તરીકે શ્રીયુત કનૈયાલાલ મુનશી હતા અને નીચેના ઠરાવમાં એમની હેમચંદ્રાચાર્ય પ્રત્યેની પ્રખર ભક્તિને સર્વાનુમતે સ્થાન મળ્યું – - “આ સંમેલન પરિષદને સૂચના કરે છે કે, ગુજરાતના અગ્રગણ્ય તિર્ધર અને સાહિત્યકાર શ્રી. હેમચંદ્રાચાર્યનાં સ્મરણે પરિષદની સાથે જોડાયેલાં રહે એવાં પગલાં જવાં અને એ નિમિત્તે પાટણમાં “ શ્રી હૈમ સારસ્વત સત્ર” જ.” આ પછી ઉપરના ઠરાવને પરિષદની મધ્યસ્થ સભાએ તેની ૭ મી જૂન ૧૯૩૮ ની બેઠકમાં બહાલી આપી હતી. આ પછી પરિષદના પ્રમુખશ્રી તરફથી સત્ર બાબતમાં નીચેને પત્ર પાઠવવામાં આવ્યો હતે – “કસ્તુભ,” વરલી ચોપાટી, મુંબાઈ શ્રીયુત ભાઈ શ્રીમતી બહેન, કરાંચી ખાતે મળેલા સાહિત્ય પરિષદ સંમેલને કરેલા ઠરાવને અનુલક્ષીને, સાહિત્ય પરિષદની મધ્યસ્થ સભાએ આવતા ડિસેમ્બર માસમાં પાટણ ખાતે “શ્રી હૈમ સારસ્વત સત્ર” ભરવાની અને મુંબાઈ ખાતે શ્રી. હેમચંદ્રાચાર્યના નામ સાથે જોડાયેલું સ્મારક ઊભું કરવાની યોજના કરી છે. આને અંગેની તમામ માહિતી પરિષદના મંત્રીઓ તરફથી વારંવાર તમને મેકલવામાં આવશે. મને ઊમેદ છે કે, આ વિષયમાં તમે તમારી સંપૂર્ણ સહકાર આપી આભારી કરશે. –કનૈયાલાલ મુનશી પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy