SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ કરાવતે અને બીજા પણ દેવીદેવતાની જે પ્રતિમાઓ રાજમહેલમાં રહેલી હતી તેમની સ્તુતિ વગેરે કરાવો. વૃદ્ધ સ્ત્રીઓ વગેરેને સહાયતાર્થ ધન આપતાં. ત્યાંથી પછી તે વ્યાયામશાળામાં જ અને યથાગ્ય વ્યાયામ કરતો. તે પછી સ્નાન કરી, વસ્ત્ર વગેરે પહેરી, રાજમહેલના બહારના ભાગમાં આવતા. ત્યાં તે પહેલાંથી જ સવારી માટે તૈયાર કરી રાખેલા રાજગજ ઉપર આરૂઢ થઈ સઘળા સામંત, મંત્રી, આદિના પરિવાર સાથે, પિતાનાં પિતાના પુણ્ય નામથી અંક્તિ ત્રિભુવનપાલવિહાર નામનું જે મહાવિશાળ અને અતિભવ્ય જૈન મંદિર કરોડ રૂપિયા ખર્ચ કરી, તેણે બંધાવ્યું હતું તેમાં દર્શન અને પૂજન કરવા અર્થે તે જતો, જે વખતે તે જિનમૂર્તિને અભિષેક કરાવતે. તે રંગમંડપમાં વારાંગનાઓ ઘણું આડંબર સાથે નૃત્ય અને ગાન કરતી. જિનમંદિરમાં પૂજા વગેરેને વિધિ સમાપ્ત કરી. તે પછી હેમચંદ્રાચાર્ય પાસે જઈ તેમના ચરણવંદન કરતે અને ચંદન, કપૂર અને સુવર્ણકમલો વડે તેમનાં ચરણોની પૂજા કરતે. તેમના મુખેથી યથાવસર ધર્મધ સાંભળી ત્યાંથી રાજમહેલ તરફ પાછા ફરતા. પાછા ફરતી વખતે તે હાથી પર ન ચઢતાં ઘોડા ઉપર સવાર થતો અને સ્વસ્થાને પહેાંચતો. ત્યાં પછી યાચકાદિ જનેને યથાયોગ્ય દાન વગેરે આપી ભોજન કરતે. તેનું ભોજન બહુ જ સાત્વિક પ્રકારનું રહેતું. જૈન ધર્મના બોધ પ્રમાણે, તે ઘણીવાર એકશન વગેરે તપ કરતો અને લીલા શાક વગેરે સ્વાદવાળા પદાર્થોને ત્યાગ કરતો. જમી રહ્યા પછી તે આરામગૃહમાં બેસતે અને ત્યાં યથાપ્રસંગ વિદ્વાની સાથે શાસ્ત્ર અને તત્વસંબંધી વિચાર કરતો. ત્રીજે પર ઢળ્યા પછી તે રાજવાટિકાએ નીકળતે. રાજા પિતાના બધા રાજશાહી ઠાઠ સાથે રાજમહેલમાંથી નીકળી, શહેરના રાજમા થઈ બહાર ઉદ્યાનમાં જઈ ઘડી-બે ઘડી જે ઉદ્યાનક્રીડા કરે તેનું નામ રાજવાટિકા. ગુજરાતી ભાષામાં એનું નામ છે “રાયવાડી" અને રાજપૂતાની ભાષામાં એને ઉચ્ચાર છે “રેવાડી.” સંધ્યા સમય થતાં ત્યાંથી તે રાજમહેલ તરફ પાછે ફરતે, અને મહેલમાં આવી, દેવની આરતી વગેરેનું સંખ્યાકર્મ કરતે. પછી તે વખતે વારાંગનાઓ વગેરે જે નૃત્ય અને ગાન કરતી, તે એક પાટ પર બેસીને સાંભળતો. સ્તુતિપાઠકે અને ચારણો વગેરે તે વખતે ખૂબ તેની સ્તુતિઓ કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy