SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ગુજરાતી સાહિત્ય પરિષદ નાટકમાં એ વિષે પણ એક સૂચન મળી આવે છે. ઉક્ત રીતે જ્યારે કુમારપાલે બધા દુર્વ્યસનનો બહિષ્કાર કરાવ્યો ત્યારે વેશ્યાવ્યસનને ઘણ તેને ભય લાગ્યો પરંતુ રાજાએ તેની ઉપેક્ષા કરતાં કહ્યું કે वेश्याव्यसनं तु वराकमुपेक्षगीयम् । न तेन किंचिद् गतेन स्थितेन वा-- એટલે કે--બાપડા વેશ્યાવ્યસનની તે ઉપેક્ષા કરવી જોઈએ. તેના રહેવાથી કે જવાથી કશું થતું નથી. આ સૂચન ગુજરાતની તે વખતની વેશ્યા વિશેની સ્થિતિ ઉપર કાંઈક પ્રકાશ પાડે છે. વેશ્યા સંબંધ તે વખતે સમાજમાં, બીજા વ્યસનની જેમ બહુ નિશ્વ ગણાતે ન હતા. સમાજના શિષ્ય કહેવાતા વર્ગ સાથે વેશ્યાઓને ઘણે સંબંધ રહેતો હતો. તેમજ વેશ્યાઓની સ્થિતિ પણ આજના જેવી તદ્દત હલકી અને કેવળ વ્યભિચાર પિષનારી ન હતી. વેશ્યાઓનું સ્થાન સમાજમાં એક પ્રકારે ઉચ્ચ પ્રતિનું ગણાતું. રાજદરબારમાં હમેશાં તેમની ઉપસ્થિતિ રહેતી. દેવમંદિરમાં પણ નૃત્ય અને માનદિ માટે તેમની હાજરી આવશ્યક ગણાતી. સાર્વજનિક કે ખાનગી ઉત્સવમહોત્સવમાં તેઓ અગ્રભાગ ભજવતી. કળા અને કુશળતાની તેઓ શિક્ષિકા ગણાતી. રાજપુત્ર વગેરે લક્ષ્મીદેવીના કૃપાપાત્રે તેમની પાસે કળાભ્યાસ પણ કરતા. અનેક રાજાઓ આવી કળાધામ વેશ્યાઓને પોતાની પ્રિયતમા બનાવતા. ખુદ કુમારપાલનું માતૃકુલ પણ આવી જ એક વેશ્યાવર્ગમાં અવતરેલી કળાનિધિ રાજરાણીની સંતતિરૂપે હતું. તેના દરબારમાં પણ આ વેશ્યાવર્ગ સારા પ્રમાણમાં અને સારી સ્થિતિમાં વિદ્યમાન હતું. તેથી તેણે તેમની પ્રવૃત્તિ વિશે કોઈ પણ પ્રકારને વિધિ કે નિષેધ કરવાને કશેય વિચાર નહીં કર્યો હોય. આ પ્રમાણે કુમારપાલે જૈનધર્મમાં દીક્ષિત થઈ, તેના સિદ્ધાન્ત પ્રમાણે કેટલાક મોટા ધાર્મિક અને નૈતિક નિયમે જાહેર કર્યા હતા અને એ નિયમોનું પાલન પ્રજા બરાબર કરે તે માટે તેણે પૂરેપૂરી સાવચેતી પણ રાખી હતી. હેમચંદ્રાચાર્ય કહે છે કે તેના અહિંસાના આદેશને અનુસરીને, અંત્યજો જેવા પણ જૂમાંકણુ સુદ્ધાની હત્યા નહતા કરતા. એ કથનમાં ભલે કાંઈક અતિશયોક્તિ હશે પણ રાજ એ બાબતમાં પૂરેપૂરો સતર્ક હતો એમાં તે જરાયે શંકા નથી. પ્રબંધચિંતામણિ” અને તેવા બીજા પ્રબંધોમાં જે એક “કાવિહાર મંદિર બંધાયાને ઈતિહાસ મળી આવે છે તેનાથી આ હકીકતને ચક્કસ પુષ્ટિ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy