SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર · નિબંધસગ્રહ ચાલ્યા આવ્યા તે જાતના શબ્દોમાં બંધ બેસે તેવા અ` તેમણે કુમારપાલના રાજજીવનના ઇતિહાસમાંથી પેાતાના વર્ણન માટે તારવી લીધે! અને તેને ક્ષેાકબદ્ધ કરી દીધા. એટલા જ અંશમાં એ કાવ્યનું ખાસ કવિત્વ છે. બાકી એનામાં કવિતાની સરસતાની દૃષ્ટિએ કહેવાય તેવી વિશિષ્ટ વિભૂતિ નથી. પણ આપણને તે આપણા પ્રસ્તુત વિષયની દૃષ્ટિએ કાવ્યવિભૂતિ કરતાં આ ક્ષ શબ્દરચના જ વધારે ઉપયોગી છે, હેમચંદ્રાચાયે કરેલુ. કુમારપાલ વિષેનું બીજું વણુહ્ન ‘ત્રિષષ્ટિશલાકાપુરુષયરિત્ર'માંના છેલ્લા મહાવીરચરિત્રમાં છે એ ચરિત્રની રચના હેમાચાર્યે કુમારપાલની પ્રાર્થનાથી જ કરી હતી અને તે તેમના જીવનની છેલ્લી કૃતિ છે. ૧૪૩ કુમારપાલે જૈનધર્મ સ્વીકાર કરી, તેના આચરણરૂપે શું શું કર્યું તેનું બહુ જ ટૂંકું પણ સારભૂત વન એ ગ્રંથમાં ગુતિ કરવામાં આવ્યું છે. નામના હેમચંદ્રાચાર્યે પછીની બીજી કૃતિ તે ‘ મેહરાજપરાજય ’ નાટકરૂપે છે. એ નાટક, કુમારપાલના ઉત્તરાધિકારી અજ્યપાલ યા અજયદેવના જ એક રાજ્યાધિકારી મેળવંશીય મંત્રી યશઃપાલનું બનાવેલું છે. કુપારપાલના મૃત્યુ પછી માત્ર એ ત્રણ વર્ષની અંદર જ એ નાટક રચવામાં આવ્યુ, અને ગુજરાત અને મારવાડની સરહદ ઉપર આવેલા થારાપદ્ર --~~ હાલના થરાદ-નગરના ‘કુમારવિહાર’ નામના જૈનમદિરમાં મહાવીરસંબંધી યાત્રામહાત્સવના પ્રસંગે ભજવવામાં આવ્યું. કુમારપાલે જૈનધર્મના સ્વીકાર કરી, પેાતાના રાજ્યમાંથી જીવહિંસા, શિકાર, જુગાર અને મદ્યપાન આદિ જે દુ^સનેને રાજાજ્ઞાપૂર્વક નિષેધ કરાવ્યા હતા તે વસ્તુતે રૂપક આપી આ નાટકની રચના કરવામાં આવી છે. એ નાટકની સંકલના હૃદયંગમ અને કલ્પના મનેાહર છે. એમાં સ્પષ્ટ એવા ઐતિહાસિક ઉલ્લેખ કરા ય નથી પણ ગર્ભિતરૂપે એવા ઉલ્લેખા માટેનું કેટલું ય વિશિષ્ટ સૂચન છે જે અતિદ્વાસિક દૃષ્ટિએ ઉપયાગી થઈ પડે તેમ છે, અને તે તદ્દન પ્રમાણભૂત ગણી શકાય છે. ત્રીજી કૃતિ તે સામપ્રભાચાર્ય કૃત ‘ કુમારપાલપ્રતિષેાધ ' નામે છે. કુમારપાલના મૃત્યુ પછી ૧૧ વર્ષ, પાટણમાં જ, કુમારપાલના રાજકવિ તરીકે ઓળખાતા મહાકવિ સિપાલના ધર્માંત્થાનમાં એ હૈ.સા.સ.-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy