SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પુનરુદ્ધારની પાવન પળોએ જિતેન્દ્ર બી. શાહ ગરવી ગુજરાતની સાંસ્કૃતિક ધરતી પાટણમાં સને ૧૯૩૯માં એક ઐતિહાસિક ઘટના નિર્મિત થઈ હતી. ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક, તે સમયની મુંબઈ સરકારના ગૃહસચિવ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશીની અધ્યક્ષતામાં પાટણ મુકામે હૈમ સારસ્વત સત્રનું ખાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનાં બીજ ઈ.સ. ૧૯૩૭માં કરાંચીમાં આયોજિત તેરમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રોપાયાં હતાં. શ્રી કનૈયાલાલ મુનશીએ વિરલ જ્યોતિર્ધર, સમર્થ વિદ્વાન અને પરમ બુદ્ધિમાન હેમચંદ્રાચાર્યનાં સંસ્મરણો પરિષદ સાથે જોડાયેલા રહે તે માટે પાટણમાં હૈમ સારસ્વત સત્ર યોજવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમનો આ વિચાર કલિકાલ- સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પ્રત્યેની અપાર ભક્તિ અને ગુજરાતની અસ્મિતાને જગતમાં સ્થાપિત કરનાર મહાન વિભૂતિની અમર યાદને પુનર્જીવિત કરવાની ઉચ્ચ ભાવનાનો દ્યોતક હતો. તેમના પ્રસ્તુત વિચારને કાકાસાહેબ કાલેલકર અને હીરાલાલ પારેખે વધાવી લીધો અને પાટણમાં હૈમ સારસ્વત સત્ર યોજવાનો ઠરાવ કર્યો. પરિષદે આ સત્ર વિશિષ્ટ રીતે ઊજવવાનું નક્કી કરી સમગ્ર દેશમાં તેનો પ્રચાર કર્યો. ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકારો અને જૈન સાહિત્યના પ્રખર અધ્યેતાઓ આ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જ પાટણના જ્ઞાનભંડારોને સુરક્ષિત રાખવા માટે નવનિર્મિત હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ઉદ્દઘાટનનો પ્રસંગ પણ યોજવામાં આવ્યો હતો. નવનિર્મિત જ્ઞાનમંદિરના ઉદ્ઘાટનનો પ્રસંગ અને વિદ્યાપર્વની ઉજવણી ગુજરાતના ઇતિહાસમાં યાદગાર બની ગઈ હતી. આ વિશિષ્ટ પ્રસંગની યાદને જીવંત રાખવા માટે તેનો અહેવાલ અને કેટલાક લેખોનો સંગ્રહ સને ૧૯૪૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ વતી ભારતીય વિદ્યાભવને પ્રકાશિત કર્યો હતો. ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy