SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી. ૧૩૧ અભેદભાવે એક સાથે રહીને પણ કરતા હતા. વિક્રમની સત્તરમી સદી સુધી તેમાં મતભેદ નહોતો. વિ.સ.૧૬૮૦મા ખરતરગચ્છીય પં. બનારસીદાસે દિગંબર તેરાપંથ ચલાવ્યો, તેમાં તેણે દિગંબરોની સાત વાતનો ઈન્કાર કર્યો અને કોઈ અભાગી પળે જિનપૂજાવિધિમાં પણ ફેરફાર કર્યો. આથી પ્રથમ તો દિગંબરોના વીસપંથી અને તેરહપંથીમાં પૂજાવિધિનો ઝઘડો ચાલ્યો અને પછી તીર્થોમાં એ જ કારણે શ્વેતાંબરો સાથે પણ ઝઘડા ઊભા થયા. જો કે આજે પણ શ્વેતાંબર અને વીસપંથી દિગંબરોની પૂજાવિધિ તો એકસરખી છે, કિન્તુ તેરહપંથીના કારણે જ તીર્થમાં ઝઘડા ઊભા થયા છે. આખરે ન્યાય શ્વેતાંબરોની તરફેણમાં આવ્યો, એટલે હમણાં હમણાં (વિ.સં. ર૦૦૮ આસપાસ) એ ઝઘડાઓ થોડે અંશે શાંત થયા છે અને વિવેકી દિગંબર જૈનોને પણ આવા ઝઘડાઓ પ્રત્યે અરુચિ પેદા થવા લાગી છે. જિનબિંબ અને જૈન તીર્થો વિષયક મતભેદ તો આ રીતે પાછળથી જ ઉત્પન્ન થયો છે. (ઈતિ જૈનપ્રતિમાની નગ્નતા-અનગ્નતા) (સંપાદકીય – જૈનોમાં મૂર્તિપૂજાની માન્યતા - પ્રાચીનતા બાબત જુનાગઢના અને મહુડીના ઉલ્લેખો અને મહત્ત્વના બની રહેશે.) જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ. ૧ જૂનાગઢ – ગિરનાર એ તો યદુકુલતિલક ભગવાન નેમિનાથના સમયનું પ્રાચીન તીર્થ છે. ત્યાં અનેક જૈન મંદિરો અને ગુફાઓ છે. તેની તળેટીમાં રહેલ જૂનાગઢમાં ત્યાર પછીની એક સદીના પ્રાચીન શિલાલેખો મળી આવ્યા છે. શ્રી અમૃતલાલ વ. પંડયા જણાવે છે કે, ક્ષત્રપકાળમાં કાઠિયાવાડમાં જૈનધર્મ ખૂબ ફેલાયો હતો, તે સમયના બે લેખો મળ્યા છે. ૧. જૂનાગઢના બાવા પ્યારાના મઠમાંથી મળી આવેલો લેખ અને ૨. રા. ઈશ્વરલાલ જી. રાજાને મળી આવેલ પ્રાચીન લેખ, કે જેનો સ્કેલ તેમણે તા. ૪-૫-૫૧ના જન્મભૂમિ'માં આપેલ છે, જેમાં તીરથવાની થાને શબ્દો સ્પષ્ટ ખોદાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy