SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સ્થવિરાવલી ગજપદતીર્થ - આ દશાર્ણ દેશનું તીર્થ છે. તેમાં દશાર્ણપુર નગર હતું, જેનું બીજું નામ એલકચ્છ (એલગચ્છ, એકાક્ષપુર) હતું. તેની પાસે દશાર્ણફૂડ પર્વત છે. ભગવાન મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા ત્યારે ઈન્દ્ર વંદનઉત્સવ વિકુઓં, જેને જોઈ રાજા દશાર્ણભદ્ર નિરભિમાન ભાવ ધરી જિનદીક્ષા લીધી. દશાર્ણકૂટ ઉપર ઐરાવત હાથીના પગલાં પડ્યાં હતાં તેથી તે કૂટનું બીજું નામ ‘ગજાગ્રપદ' થયું. આર્ય મહાગિરિજી જેઓ આર્ય સુહસ્તિસૂરિના ઉપાધ્યાય હતા તેઓ પાટલીપુત્રમાં વસુભૂતિ શેઠની ભક્તિમાં અનૈષણા દોષ સમજ વિદિશામાં જીવિતસ્વામીની પ્રતિમાને વાંદી ગજાગ્રપદમાં યાત્રા માટે પધાર્યા, અને ત્યાં અનશન કરી સ્વર્ગે ગયા ને દેવ થયા. (આ. નિ. ગાથા ૧૨૯૩, હારિ વૃત્તિ પૃ. ૬૭૦) જીવિતસ્વામી - ચંપાનો કુમારનંદી સોની અગ્નિમાં બળી મરી વિન્માલી દેવ થયો. તેણે છદ્મસ્થ ભગવાન શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા બનાવી હતી. સિધુ સોવીર દેશના રાજા ઉદાયીની પાસે પહોંચતી કરાવી હતી. રાજા તેની ત્રિકાળ પૂજા કરતો હતો. એક દિવસે માલવરાજ ચંડપ્રદ્યોત તે ઉદાયી રાજાની અતિશય રૂપાળી સુવર્ણગુલિકા નામની દાસીને તથા આ પ્રતિમાને હરીને ઉજ્જૈન લઈ આવ્યો. જો કે ઉદાયી રાજાએ અહીં આવી ચંડપ્રદ્યોતને હરાવી પાંજરામાં પૂરી આ પ્રતિમાને લઈ જવા પ્રયત્ન કર્યો કિન્તુ અધિષ્ઠાયક દેવે લઈ જવાની મના કરી. આથી ઉદાયીએ તેને ત્યાં વિદિશામાં જ રાખી અને પછી વીતભયનગર ચાલ્યો ગયો. તેણે ચંડપ્રદ્યોતને સાધર્મિક બધુ જાણી માલવાનું રાજ્ય પાછું આપી વચ્ચેથી જ પાછો રવાના કરી દીધો હતો. ચંડપ્રદ્યોતે વિદિશામાં આવી ત્યાં બ્રાજિલ શ્રાવકોના નામથી શહેર વસાવ્યું અને તેની વ્યવસ્થા માટે બાર હજાર ગામ આપ્યા ત્યારથી આ તીર્થ જીવિતસ્વામી તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ અહીં યાત્રા માટે અનેકવાર પધાર્યા હતા. આ પ્રતિમાનો વરઘોડો ઉજ્જૈનમાં પણ ફેરવવામાં આવતો હતો. આવાં કારણોથી આ તીર્થ પ્રાચીન ગણાય છે. (“ઓઘનિર્યુક્તિ’ ગાથા ૧૧૯) આ સિવાય નાંદિયા, નાણા, દિયાણા, બામણવાડ, મુંડસ્થલ અને ભિન્નમાલમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાર્યાનો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy