SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી પુરીમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હતું અને તેમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. “પુરીમાં છૂતાછૂત નહીં એ લક્ષણવાળા સાધર્મિક વાત્સલ્ય આ તીર્થને જગપ્રસિદ્ધ બનાવ્યું હતું અને લોકો પણ તેને જગન્નાથજી તરીકે ઓળખતા હતા. આર્ય વજસ્વામી બાર વર્ષીય દુકાળીમાં શ્રીસંઘને લઈને અહીં આવ્યા હતા, ત્યારબાદ શંકરાચાર્યના અત્યાચારથી જૈનધર્મ આ પ્રદેશમાંથી ઉઠી ગયો, એટલે એ તીર્થ શૈવતીર્થ બની ગયું છે. છતાંય એ તીર્થની પ્રતિમા આજે પણ ત્યાં તે અસલી સ્વરૂપમાં જ વિદ્યમાન છે. જો કે દર બાર બાર વર્ષે તેની ઉપર લાકડાનું ખોળું ચડાવવામાં આવે છે અને ખભા ઉપર બે હાથ જોડી દેવામાં આવે છે; કિન્તુ તેના નીચેના બે હાથો તો ધ્યાનસ્થ મુદ્રામાં જ રાખવામાં આવે છે. અમદાવાદ વગેરેમાં જગન્નાથજીનો વરઘોડો નીકળે છે તેમાં જગન્નાથજીની ત્રણ મૂર્તિઓની આકૃતિ એવી સંદિગ્ધ બનાવવામાં આવે છે કે “આ જિન પ્રતિમાઓ છે” એમ રખેને કોઈ જાણી જાય. જગન્નાથજી એ પ્રાચીન જૈનતીર્થ છે. આજે જૈનો અને સોનીને તેમાં પ્રવેશ કરવાની મનાઈ છે. (‘ઓઘનિર્યુક્તિ ગાથા ૧૧૯, “જૈન સત્ય પ્રકાશ' ક્રમાંક ૭) ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર શ્રીસુધર્માસ્વામીના સમયના તીર્થો નીચે પ્રમાણે છે : ક્ષત્રિયકુંડ – કુંડગ્રામના ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડ એમ બે વિભાગ હતા. ક્ષત્રિયકુંડ પહાડની ઉપર હતું અને તેની પશ્ચિમે બ્રાહ્મણકુંડ પહાડની નીચે હતું. આ પહાડ પરનું ક્ષત્રિયકુંડ તે ભગવાન શ્રીમહાવીરસ્વામીના ત્રણ કલ્યાણકની ભૂમિ છે. આ સ્થાન અત્યારે નાશ પામ્યું છે અને ત્યાંથી પશ્ચિમે દોઢેક કોશ દૂર તીર્થમંદિર બનાવવામાં આવ્યું છે. જો કે કેટલાક અંગ્રેજ વિદ્વાનો વિશાલાના એક પરાને ક્ષત્રિયકુંડ તરીકે માનવાને લલચાય છે; પરંતુ તે તેઓની માત્ર કલ્પના જ છે કેમ કે ક્ષત્રિયકુંડ એ વિશાલાનું નહીં કિન્તુ કુંડગ્રામનું એક પરું છે, એ વસ્તુ તેના વર્ણન ગ્રંથોથી નિર્વિવાદ સિદ્ધ છે. અહીંથી પાવાપુરી લગભગ રા યોજન દૂર છે તેથી જ ભગવાનના નિર્વાણની ખબર અહીં જલદી પહોંચી ગઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy