________________
હિમાલયની પદ યાત્રા-૨ ૨
હવે ભૂલેચૂકે પણ આવો રસ્તો લેવાનું દુસ્સાહસ કરવું નહિ. કોઈને ભલામણ પણ કરવી નહિ. જિંદગીમાં અત્યંત કસોટીના રસ્તામાંથી પાર ઊતર્યા. આના કરતાં પાંચ કિલોમીટર વધારે ચાલવું સારું.
મારા પૂજ્ય પિતાશ્રી ગુરુદેવ કહેતા હતા કે દાંડો તો ત્રીજો પગ છે. શાસ્ત્રમાં દાંડાનું ખાસ વિધાન છે. આ પ્રસંગે એની ઉપયોગિતાની ખબર પડી.
આ રસ્તે ઊતરીને વિષ્ણુપ્રયાગ આવ્યા. ખૂબ જ નીચે વિષ્ણુપ્રયાગ છે. ત્યાં એક પોલીસચોકી છે. વિષ્ણુ ભગવાનનું નાનું મંદિર છે. અહીં ઔલીગંગા નદીનો અલકનંદા સાથે સમાગમ થાય છે. આ સંગમો ખાસ જોવા જેવા હોય છે.
વિષ્ણુપ્રયાગથી પા-અડધો કિલોમીટર દૂર સડક ઉપર જ શ્રાવકોએ નોકારસી માટે વ્યવસ્થા કરી હતી. ત્યાં સડકની બાજુએ બેસીને નોકારસી વાપરીને ચાલ્યા.
દોઢસો-બસો ડગલાં ચાલ્યા પછી સડક ઉપર જ પર્વતમાં એક ગુફા હતી. ગુફા થોડી ઊંચી હતી. પત્થરમાં બાકોરું કરીને તેમાં લાકડું ભીડાવી રાખ્યું હતું. તેના ઉપર પગ મૂકીને ઉપર ગુફામાં જઈ શકાય.
એ ગુફામાં એક નારાયણગિરિ નામે સાધુ નવ વર્ષથી રહે છે. એ ઊતરીને અમારી પાસે આવ્યા. ઘણી વાતો થઈ. ગુફાની અંદર બીજી ગુફા છે. પાંચ જણા રહી શકે તેવી મોટી છે. નવ વર્ષથી સતત એમાં રહે છે.
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org