________________
હિમાલયની પદ યાત્રા-૧૯
જ સંસ્કૃત શીખવવામાં આવે છે અને લોકોને સંસ્કૃત ભાષા માટે બહુ આદર અને ગૌ૨વ છે. સ્કુલમાં ચારે બાજુ સંસ્કૃત સુભાષિતો લખેલાં છે.
અહીંના લોકો ધર્મશ્રદ્ધાળુ હોવાથી બ્રાહ્મણો પાસે જુદી જુદી જાતના ચંડીપાઠ જેવા કોઈ પાઠો કરાવતા હોય છે. એટલે નાની ઉંમરથી જ સંસ્કૃત ભાષા શીખ્યા હોય તો આવા પાઠો કરી શકે.
એટલે બીજા ધોરણથી સંસ્કૃત શીખવવાનું આ વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં ત્રીજા ધોરણથી શીખવતા હતા.
આપણને આશ્ચર્ય થાય છે. આપણે ત્યાં સાતમી કે આઠમીથી શીખવતા હશે. મહારાષ્ટ્ર જેવામાં તો સંસ્કૃતને ભણવું કે ન ભણવું એ વિદ્યાર્થીની ઇચ્છા ઉપર છોડ્યું છે. આપણે ત્યાં સંસ્કૃતની કેવી દુર્દશા અને અહીં સંસ્કૃતનું કેવું ગૌરવ. અમને આ વાત જાણી બહુ આનંદ થયો.
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org