________________
હિમાલયની પદ યાત્રા-૧૧
એક સૌથી ઉપરનો વર્ગ છે કે જેમની પાસે સ્થાવર-જંગમ થઈને કરોડોની-અબજોની સંપત્તિ છે. એમનું જીવન તદન વૈભવથી ભરેલું હોય છે. મોટરો-સ્કુટરો વગેરે એમની પાસે સારી રીતે હોય છે. કેટલાક તો પરદેશમાં પણ જાય છે. પરદેશમાં તેમના આશ્રમો હોય છે. ત્યાં અવારનવાર જતા હોય છે. યોગ અને ધ્યાન આદિના વર્ગો પણ ચલાવતા હોય છે. અહીં પણ એમના મોટા આશ્રમો છે. મોટા મોટા ધનવાનો તેમના આશ્રમમાં દાન આદિ આપતા હોય છે. તેમને અદ્યતન સગવડો પણ (ફોન, એરકંડીશન આદિ જો હોય તો) આ આશ્રમોમાં મળતી હોય છે. આવા ધનવાન સંન્યાસીઓ-મંડલેશ્વરો (મંડલેશ્વર એ આપણી આચાર્ય જેવી પદવી છે.) આ મંડલેશ્વરો પૈકી કેટલાક સ્કુલ-કોલેજ-દવાખાના-હોસ્પીટલ આદિ લોકોપયોગી પ્રવૃત્તિ પણ ચલાવતા હોય છે. દાન આપનારા ધનવાનો પણ તેમને ઘણા મળી રહે છે. ભગવા રંગના કપડાં અને થોડાંક વિધિ અનુષ્ઠાનો એ એમનું મુખ્ય સંન્યાસી જીવન.
બીજા વર્ગના સંન્યાસી-સાધુઓ પાસે પોતાના આશ્રમ ચલાવવા જેટલી સંપત્તિ હોય છે, અથવા ભક્તો પાસેથી તેમને મળી રહે છે. એમની દૃષ્ટિ પણ ઉપરના વર્ગના સંન્યાસી તરફ હોય છે.
ત્રીજા વર્ગના જે હોય છે તે તો સામાન્ય કક્ષાના હોય છે. આશ્રમોમાં રહેતા હોય, હરતા હોય, ફરતા હોય, જમવા માટે આમંત્રણ મળે ત્યાં ટોળાબંધ જમવા જતા હોય. અથવા તો
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org