________________
હિમાલયની પદ યાત્રા-૧૧
જોયું. તે પહેલાં સડકથી દોઢસો-બસો પગથિયાં નીચે ઊતરીને પ્રયાગ જોવા ગયા. વચમાં ચામુંડા માતાનું મંદિર છે. પ્રયાગ સુધી ઠેઠ નીચે પહોંચ્યા.
બે નદીઓના સંગમને પ્રયાગ કહેવામાં આવે છે. કેદારનાથમાંથી આવતી મંદાકિનીનો બદરીનાથથી આવતી અલકનંદા સાથે અહીં સંગમ થાય છે.
જ્યાં સંગમ થાય ત્યાં અલકનંદાનાં મોજાં ખૂબ જ જોરથી ઊછળી રહ્યાં છે. સમુદ્રની જેમ ઘુઘવાટ કરતી, ઘોડા પૂરે ઊછળતી અલકનંદાને કેદારનાથથી શાંત શાંત વહેતી આવતી મંદાકિની મળે છે. આ દશ્ય અત્યંત યાદગાર રહ્યું.
સનાતની હિંદુઓમાં સંગમના સ્થાનનો ખૂબ જ મહિમા હોય છે. જ્યાં સંગમ હોય ત્યાં તીર્થ બની જાય છે. અમે આ સંગમ જોઈને પાછા ફર્યા.
પછી રૂદ્રનાથ મહાદેવના મંદિરે પણ ચડીને જઈ આવ્યા.
પછી ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર તિલાણી તરફ ચાલ્યા. લગભગ આખા રસ્ત, ખૂબ ખૂબ ચડાણ છે. અમે અહીં સ્કુલના રૂમોમાં મુકામ કર્યો છે. આવા મોટા વિશાળ રૂમો વાળી સ્કુલ પહેલી જ વાર મળી છે. બરાબર અલકનંદાના કિનારે જ આ સ્કુલ આવેલી છે.
હિમાલય કોઈ એક પર્વતનું નામ નથી, હિમાલય એ તો
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org