________________
હિમાલયની પદ યાત્રા-૯
ત્યાં દિગંબર જૈન મંદિર છે. ચાર-પાંચ દિગંબરોનાં ઘરો છે. મંદિરનું મોટું આંગણું છે. પાછળ મોટા બે હોલ બાંધેલા છે.
દિગંબર આચાર્યશ્રી વિદ્યાનંદજીએ અહીં ૩૦ વર્ષ પૂર્વે ચોમાસું કર્યું હતું. ત્યારે આંગણામાં તંબુ બાંધીને તેમાં રહ્યા હતા.
રાજેન્દ્રપ્રસાદજી દેરાસર સંભાળે છે. બીજા એક શ્રાવક મોહનલાલજી અહીં મ્યુનિસીપાલિટીમાં ચેરમેન છે.
શ્રીનગરમાં ત્રીસેક હજારની વસ્તી છે. મોટું શહેર છે. યુનિવર્સિટી છે, સ્કુલ-કોલેજો વગેરે ઘણું છે. મોટું બજાર છે. જ્યાં માણસોની વસ્તી હોય ત્યાં ગંદકી વગેરે તો હોય જ. મચ્છર આદિ પણ હોય. પહાડમાં પણ નદીકિનારાની ભેખડોમાં પણ માણસો ઊંચ-નીચે કેવી રીતે મકાનો તથા બંગલાઓ બાંધીને રહે છે એ નજરે જોવા મળ્યું.
રાજેન્દ્રપ્રસાદજી તથા મોહનલાલજીએ ખૂબ સદ્ભાવ દર્શાવ્યો. રાજેન્દ્રપ્રસાદજીનો પુત્ર મનોજકુમાર જૈન અમને દૂર સુધી વળાવવા આવ્યો. સામાન્ય માણસોના મનમાં દિગંબર-શ્વેતાંબરના ભેદભાવો કે પૂર્વગ્રહો હોતા નથી.
શ્રીનગરમાં દિગંબર મંદિરમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન-વંદન કરી, ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર શ્રીકોટ આવ્યા છીએ.
હવે જમણી બાજુ પહાડ છે. ડાબી બાજુ અલકનંદા
૩૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only