SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ આગમ કથાનુયોગ-૬ ૦ સરજસ્ક :- (પહુકનું દાંત) કોઈ એક ગામે બગીચા સમીપે એક કૂપિકા હતી ત્યાં સ્ત્રીઓ પાણી ભરતી. તે બગીચામાં એક સરજસ્ક (ધૂળીયો) તાપસ રહેતો હતો. તે કૂવાના તટે ઉદાર અવિરતિ કાને જોઈને તેણીને વિદ્યા અભિમંત્રિત પુષ્પો આપ્યા. તેણીએ તે પુષ્પોને ઘેર જઈને નીશાપટ્ટકે તેને સ્થાપ્યા. પછી તે પટ્ટકને અર્ધરાત્રિએ ઘરના દ્વારે પીટ્યો. ત્યારે ગૃહસ્થોએ ઘરમાંથી નીકળીને પુષ્પયુક્ત પટ્ટક જોયો. લોકોએ પૂછતા તેણે જે સત્ય હતું તે જણાવ્યું. તે તાપસને કાઢી મૂકીને સરસ્ક કહી દીધો. તેથી સાધ્વીએ પોતા માટે ગૃહસ્થ પાસેથી વસ્ત્રો ન લેવા પણ ગણના ધારકોએ તેને આપવા. ૦ આગમ સદંભ :આયામૂ. ૧૬૨, ૪૮ત્ની વક બુદ.ભા. ૨૮૧૯ + 9 ૦ સુકુમાલિકા :- (સ્પર્શનેન્દ્રિય વિષયે દષ્ટાંત) વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને સુકુમાલિકા પત્ની હતી. તે ઘણાં સુકુમાલ સ્પર્શવાળી હતી. રાજા રાજ્યની ચિંતા કરવાને બદલે હંમેશાં તેની સાથે ભોગ ભોગવતો રહેતો. કોઈ વખતે સામંત રાજાની મંત્રણા દ્વારા નોકરોને કહીને રાણી સહિત રાજાને કાઢી મૂક્યો. તેના પુત્રને રાજ્ય સ્થાપ્યો. તેઓ અટવીમાં ગયા. સુકુમાલિકાને તરસ લાગી, તેથી પાણી માંગ્યું. તેણીની આંખો બંધ કરીને રાજાએ કહ્યું, તું ડરતી નહીં. પોતાનું લોહી પીવડાવ્યું. પછી તેણીને ભૂખ લાગી. રાજાએ સાથળનું માંસ કાપીને તેણીને ખવડાવ્યું. પછી સંરોહિણી ઔષધી વડે ઘા રુઝાવી દીધો. તેમ કરતા કોઈ જનપદમાં પહોંચ્યા. આભરણો સંગોપીને ક્યાંક વેપાર શરૂ કર્યો. તેની ગલીમાં કોઈ પાંગળો ફરતો હતો. તેને જોઈને રાણીએ કહ્યું કે, હું ઘેર એકલી રહી શકતી નથી. કોઈ બીજાને ઘરમાં રાખો. રાજાએ વિચાર્યું કે, આ પાંગળો અહીં રાખવો યોગ્ય છે. પાંગળાને ગૃહપાલકરૂપે રાખ્યો. તેણે ગીત-સંગીતાદિ કળા વડે રાણીને આકર્ષિત કરી. પછી રાણી તેનામાં આસક્ત બની. તેણી પતિના છિદ્રો શોધવા લાગી. કંઈ મળ્યું નહીં એટલે તેણી રાજાને કોઈ ઉદ્યાનિકામાં લઈ ગઈ. વિશ્વાસમાં લઈને ઘણો દારુ પીવડાવ્યો. પછી ગંગામાં ફેંકી દીધો. પછી પાંગળાને લઈને ફરવા લાગી. ઘેરઘેર જઈ ગીત–ગાન કરવા લાગ્યા. લોકો પૂછે ત્યારે કહેતી કે, માતાપિતાએ આવો વર આપ્યો. હું શું કરું ? તે રાજા પણ કોઈ નગરે નીકળ્યો. વૃક્ષની છાયામાં સુતો હતો. તે વખતે ત્યાંનો રાજા પુત્રરહિત મૃત્યુ પામ્યો. અશ્વએ અધિવાસિત કરતા, જય-જય શબ્દોના ઘોષ સાથ તે ફરી રાજા થયો. પાંગળો અને સુકુમાલિકા બંને કોઈ વખતે તે નગરમાં પહોંચ્યા. રાજાએ તેમને મહેલમાં બોલાવ્યા. પૂછયું કે, આ કોણ છે ? સુકુમાલિકાએ કહ્યું કે, માતાપિતાએ મને આવો પતિ જ આપ્યો છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy