SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૨૩૯ ૦ આગમ સંદર્ભ :આવનિ ૯૧૮ની વૃ આવયૂ.૧–. પ૧૬; - ૪ - ૪ - ૦ ઘર્મિલ :- (પચ્ચકખાણના ફળનું દષ્ટાંત) પચ્ચક્ખાણ કરવાથી થતા લાભના વિષયમાં આ દૃષ્ટાંત છે. (જો કે ત્યાં માત્ર એટલું સૂચન જ છે કે વસુદેવહિંડી ગ્રંથથી આ કથા જાણવી.) ૦ આગમ સંદર્ભ :સુય... ૩૯૦; આવ.ચૂર–પૃ. ૩૨૪; આવ.નિ. ૧૬૨૦ + વૃ; દસ ચૂપૃ. ૩૨૮; - ૪ - ૪ - ૦ પૂર્યાખ્યાન :- (માયા દ્વારમાં દષ્ટાંત) ઉજ્જૈની નામે નગરી હતી. તેના ઉત્તર પાર્થે એક જીર્ણ ઉદ્યાન હતું. ત્યાં ઘણાં ધૂર્તો આવતા. ત્યાં સસ, એલાષાઢ, મૂલદેવ, ખંડપાણ અને એક સ્ત્રીએ પાંચે ભેગા થયા. એકેક પાસે પાંચ-પાંચ ધૂર્તસત્વ હતા, ધૂતિણી પાસે પ૦૦ ખંડપાણ હતા. કોઈ દિવસે વર્ષાકાળે વાદળો હતા ત્યારે ભૂખ્યા થતા આ પ્રકારની વાત થઈ. આપણને ભોજન કોણ આપે ? મૂલદેવે કહ્યું કે, જે અનનુભૂત કૃત હોય તે કહો. જે તેની પ્રતીતિ ન કરાવી શકે તે બધાં ધૂર્તોને ભોજન કરાવે બધાંએ તેની વાત કબૂલ રાખી. એલાષાઢ દૃષ્ટાંત કથન શરૂ કર્યું. હું ગાયોને લઈને અટવીમાં ગયો. મેં ચોરોને આવતા જોયા. ત્યારે મેં મારો કાંબળો પાથર્યો. તેમાં બધાં ગાયોને રાખી દીધી. તેનું પોટલું બાંધ્યું. બાંધીને ગામમાં આવી ગયો. ગામ મધ્યે મેં બળદને કહમાં રમમાણ જોયો. ગાયો પણ તે જોવા લાગી. ક્ષણ માત્રમાં કલકલ કરતા તે ચોરો ત્યાંથી જ પસાર થયા. તે ગામમાં દ્વિપદ, ચતુષ્પદ, એક વાલ્ક પ્રવેશ્યા. ચોરો પાછળ ગયા. વાલુંકને કોઈ અજગર ગ્રસી ગયો. તે અજગરને કોઈ અજગલ વડે પકડાયો. તે અજગલને કોઈ ઢકે ગ્રહણ કર્યો. તે ઉડીને કોઈ વૃક્ષની શાખાએ બેઠો. તેનો એક પગ લટકતો હતો. તે વૃક્ષ નીચે કોઈ સ્કંધાવાર સ્થિત થયો. ત્યાં તે ઢંકને ગજવર ગળી ગયો. તે ઉઠવા ગયો. તે ગજવર ચાલવા લાગ્યો. તેણે કલકલ કર્યું. તે વખતે શબ્દવેધીએ બાણ માર્યું. તે મૃત્યુ પામ્યો. રાજાએ તેનું પેટ ચીરાવ્યું. અજગલ નીકળ્યો. એમ પેટ ચીરતા ગયા અને એકેક જીવ બહાર આવતો ગયો. પછી હું પણ તે ગામ પાસેથી ગાયો લઈને નીકળી ગયો. બધા પોતપોતાના સ્થાને ગયા, હું પણ ગાયને છોડીને અહીં આવ્યો. બોલો આ વાત બરાબર છે. ત્યારે બાકીના બધાં બોલ્યા, સત્ય, સત્ય છે એલાષાઢ પૂછયું કે, તો પછી ગાયો કાંબળામાં કઈ રીતે આવી ? ત્યારે બાકીના બોલ્યા કે, આ તો ભારતમૃતિમાં આવે છે. જેમકે પહેલા બધું એક જ સ્થાને હતું. તે જળમાં ઇંડુ થયું. તે ઇંડામાં પર્વત સહિત વન– જંગલ હતું. જો ઇંડામાં આખું જગત્ સમાઈ જાય તો તારા કાંબળામાં ગાયો કેમ ન સમાય ? જો વિષ્ણુના ઉદરમાં સુર, અસુર, નારક સહિત, પર્વત, વન, જંગલ વગેરે બધું સમાઈ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy