SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આગમ કથાનુયોગ-૨ ગુરભારવાહી રૂપે રાજાએ સ્થાપ્યો. તેને એવી આજ્ઞા આપેલી કે તેણે કોઈને માર્ગ ન આપવો. રાજા આવે તો પણ માર્ગેથી ખસવું નહીં – ૪ – ૪ – કોઈ સાધુને આવતો જોઈ તે માર્ગેથી ખસી ગયો. સાધુને માર્ગ આપ્યો. ભારવાહકોએ રોષાયમાન થઈ એ વાત રાજાને કરી – ૪ – ૪ – રાજાએ તેને કહ્યું કે, તે મારી આજ્ઞાનો ભંગ કર્યો? તેણે કહ્યું, હે દેવ ! તમે ગુરભારવાહીને માર્ગ આપવા કહેલું માટે મેં માર્ગ આપ્યો. ત્યારે રાજાએ પૂછ્યું કઈ રીતે ? તે ભારવાહકે કહ્યું કે, તે અવિશ્રાંતપણે અઢાર હજાર શીલાંગનો ભાર વહન કરે છે. જેટલો માર મારેથી વહન કરવો શકય નથી. આ સાંભળી રાજા પ્રતિબોધ પામ્યો. ઊભો થઈને સન્મુખ ગયો. (આને કર્મસિદ્ધનું દષ્ટાંત જાણવું) ૦ આગમ સંદર્ભ :આવનિ ૯૨૯ની વૃ, – ૪ – ૪ –– ૦ કોડીસર :- (દ્રવ્ય આવશ્યક સંબંધે દષ્ટાંત) ગિરિનગરે કોડીસર નામે એક રત્નાવણિક હતો. તે રક્તરત્નો વડે ઘરને પ્રદીપ્ત. (પ્રકાશમાન) રાખતો હતો. તેને જોઈને સર્વલોક તેની પ્રશંસા કરતા – અહો ! આ વણિ; ધન્ય છે જે નિત્ય દેવ સન્મુખ અગ્નિ વડે તર્પણ કરે છે. કોઈ વખતે ત્યાં અગ્રિ પ્રગટ્યો પ્રબળ વાયુ વહેતો હતો. આખું નગર બળી ગયું. પછી રાજાએ તેને દેશ નિકાલ કર્યો. બીજા નગરે પણ કોઈ તેમ કરતો હતો. ત્યાં રાજાને તે વાતની ખબર પડી, તેનું સર્વસ્વ હરણ કરી લીધું, તેને કાઢી મૂક્યો. જંગલમાં જઈને કેમ અગ્નિ પ્રગટાવતો નથી ? રીતે તે વણિકનું અવશેષ દ્રવ્ય બળી ગયું. તે રીતે અગીતાર્થ એવા વસંતપુર નગરે રહેલા સંવિગ્નનો પણ સાધુઓએ ત્યાગ કર્યો. તે દ્રવ્ય આવશ્યક જાણવું. ૦ આગમ સંદર્ભ :આવ૨.૧–પૃ. ૭૯; આવ.નિ. ૭૯ની વ ૦ કોલગિની :- (માયા વિષયમાં દૃષ્ટાંત) એક કોલગિની કુમારી હતી. તેના માતા-પિતા બીજે ગામ ગયેલા હતા. તેણી એકલી રહેલી. ચોરો તેના ઘરમાં પ્રવેશ્યા. તેણી પોતાની સાથે વાત કરતી હોય તેમ બોલી. હું મામાના દિકરાને અપાઈ છું. તો મને પુત્ર પણ થશે. તેનું હું ચંદ્ર એ પ્રમાણે નામ રાખીશ. તેને હું બોલાવીશ – ઓ ચંદ્ર ! ઓ ચંદ્ર ! તે સાંભળીને પાડોશમાં રહેતો ચંદ્ર આવ્યો. તે જોઈને ચોરી નાસી ગયા. ૦ આગમ સંદર્ભ :આવ.ચૂં.૧– પર૫; આવ નિ ૯૧૮ની છ – ૮ – – ૦ ખંડકર્ણ - (સમ્યક પરિકર્મ સંબંધી પરીક્ષાનું દૃષ્ટાંત) અવંતીપતિ પ્રદ્યોતને ખંડકર્ણ નામે મંત્રી હતો. કોઈ વખતે રાજા પાસે સાહસિક
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy