SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૫૩ મરણપર્યત આ પ્રાણીઓની હત્યા કરવાનો ત્યાગ કરે છે. તે પુરુષો કાળના સમયે પોતાના આયુને છોડી દે છે. આયુ છોડીને પોતાના શુભકર્મોની સાથે સુગતિ પામે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાનું કાયાવાળા અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે એવા ઘણાં પ્રાણી હોય છે, જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે, અને એવા પ્રાણી અલ્પ છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થતું નથી. તેથી તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતોમાં સ્થિત અને પ્રતિવિરતને માટે તમે લોકો અથવા અન્ય કોઈ જે આ પ્રમાણે કહે છે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી – જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે” – એ કથન ન્યાયમુક્ત નથી. ભગવદ્ ગૌતમે કહ્યું, સંસારમાં કોઈ મનુષ્ય એવા હોય છે, જે અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક – યાવત્ – ધર્મ દ્વારા પોતાની આજીવિકા અર્જન કરનારા, શીલસંપન્ન, સુવતી, સરળતાથી પ્રસન્ન થનારા અને સુસાધુ હોય છે. તેઓ જીવનપર્યત કોઈ એક પ્રાણાતિપાતથી પ્રતિવિરત અને કોઈ એકથી અવિરત – યાવત્ – જીવનપર્યત માટે કોઈ એક પરિગ્રહથી વિરત અને કોઈ એકથી અવિરત હોય છે. શ્રમણોપાસક વ્રત ગ્રહણના સમયથી લઈને મરણપર્યત આ પ્રાણીઓની હત્યા કરવાનો ત્યાગ કરે છે. તે પુરુષો પોતાના આયુનો ત્યાગ કરે છે અને ત્યાગ કરીને પોતાના શુભ કર્માનુસાર સુગતિને પ્રાપ્ત થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને દીર્ધસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, તેવા પ્રાણી ઘણાં ઓછા હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. તેથી એ મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરતને માટે તમે લોકો અથવા અન્ય કોઈ જે એમ કહે છે કે, “તેમના માટે એવા કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થઈ શકે” એ કથન ન્યાયયુક્ત નથી. - ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગતમાં કોઈ એવા પણ મનુષ્ય હોય છે, જે જંગલમાં નિવાસ કરે છે, મઠમાં રહે છે, ગામની સીમા પર રહે છે, કોઈ રહસ્યને જાણનારા હોય છે. તેવાઓને શ્રમણોપાસક વ્રત ગ્રહણ કરવાના દિવસથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે – તેઓ સંયમી નથી, સર્વ સાવદ્યકર્મોથી નિવૃત્ત થયા નથી. સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વોમાં પોતાના મનથી સાચી-ખોટી વાત આ પ્રમાણે કહે છે મને મારવો ન જોઈએ, બીજાને મારવો જોઈએ, મને આજ્ઞા ન દેવી જોઈએ, બીજાને આજ્ઞા આપવી જોઈએ, મને પકડવો ન જોઈએ, બીજાને પકડવા જોઈએ, મને પરિતાપ ન આપવો જોઈએ, બીજાને પરિતાપ આપવો જોઈએ, મને ઉદૂર્વેદિત ન કરવો જોઈએ પણ બીજાને ઉદૂર્વેદિત કરવા જોઈએ. આ જ પ્રમાણે તેઓ સ્ત્રી ભોગોમાં મૂર્ણિત, વૃદ્ધ, આસક્ત, અત્યંત આસક્ત – થાવત્ – ચાર, પાંચ, છ કે દશ વર્ષપર્યત અલ્પ કે અધિક ભોગોપભોગોને ભોગવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy