________________
શ્રમણ કથાઓ
૩૯૫
ત્યારે ફરી પણ તે પાપિણીને પૂછયું કે, તારી સ્વામિની કોણ હતી ?
ત્યારે હે ગૌતમ! અતિશય ગળું બેસી જાય તેવું આકરું રૂદન કરતી દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી વ્યાકુળ થયેલી, અશ્રુ પાડતી એવી સુન્નશ્રીએ પોતાના પિતાને શરૂથી માંડીને અત્યાર સુધીની સર્વ હકીકત જણાવી. ત્યારે મહાપાપકર્મી એવા સુજ્ઞશિવને જાણવામાં આવ્યું કે, આ તો સુજ્ઞશ્રી મારી પોતાની જ પુત્રી છે. આવી અજ્ઞાત સ્ત્રીને આવા રૂપ, કાંતિ, શોભા, લાવણ્ય, સૌભાગ્ય સમુદાયવાળી શોભા ન હોય, એમ ચિંતવીને વિલાપ કરવા લાગ્યો કે –
આવા પ્રકારના પાપકર્મ કરવામાં રક્ત થયેલા મારા પર ધડધડ શબ્દ કરતું વજ તુટી ન પડે તો પછી અહીંથી ક્યાં જઈને હવે હું શુદ્ધ થઈશ? એમ બોલીને મહાપાપકર્મ કરનાર સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે
શું હવે હું શસ્ત્રો વડે મારા ગાત્રને તલતલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા તો ઊંચા પર્વતના શિખર ઉપરથી પડતું મૂકીને અનંત પાપસમૂહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સખ્ત રીતે ચૂરી નાખુ? અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ કરીને લોખંડને જેમ જાડા ધણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા અંગને ટીપાવું ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યભાગમાં કરવતના તીર્ણ દાંતાથી કપાવું અને તેમાં સારી રીતે ઉકાળેલા સીસા, તાંબા, કાંસા, લોહ, લુણ અને ઉસના ખાજી સાર રેડાવું ?
– અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખ? અથવા તો હું મગરના ઘરમાં પ્રવેશ કરું અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધી લટકાવીને નીચે મુખ અને ઉપર પગ હોય તેવી રીતે રાખીને નીચે અગ્રિનો ભડકો કરાવું? વધારે કેટલું કહેવું ? મસાણ ભૂમિમાં પહોંચીને કાષ્ઠની ચિતામાં મારા શરીરને બાળી નાંખ. એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં તેણે મોટી ચિતા બનાવડાવી
ત્યારપછી સમગ્ર લોકની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરીને સર્વ લોકને જાહેર કરતાં કહ્યું કે, મેં ન કરવા લાયક આવા પ્રકારનું અપૂકાર્ય કરેલું છે. એમ કહીને ચિતા ઉપર આરૂઢ થયો ત્યારે ભવિતવ્યતા યોગે તેવા પ્રકારના દ્રવ્યો અને ચૂર્ણિના યોગના સંસર્ગથી તે સર્વે કાષ્ઠો છે – એમ માનીને ફૂંક મારવા છતાં અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં અગ્નિ પણ તને સહારો આપતો નથી. તારી પાપ પરિણતિ કેટલી આકરી છે કે, જો આ અગ્નિ પણ સળગતો નથી. એમ કહીને તે લોકોએ બંનેને ગોકુળમાંથી હાંકી કાઢયા.
આ અવસરે બીજા નજીકના ગામમાંથી ભોજન–પાણી ગ્રહણ કરીને તે જ માર્ગે ઉદ્યાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયું. તેમને જોઈને તેમની પાછળ તે બંને પાપીઓ ગયા. ઉદ્યાનમાં પહોંચ્યા તો ત્યાં સમગ્ર ગુણ સમૂહને ધારણ કરવાવાળા, ચાર જ્ઞાનવાળા, ઘણા શિષ્યગણથી પરિવરેલા, દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન કરાતા, સુગૃહીત નામવાળા જગાણંદ નામના અણગારને જોયા.
– તેમને જોઈને સુજ્ઞશિવ અને સુજ્ઞશ્રી બંનેએ વિચાર્યું કે, આ મહાયશવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org