________________
૩૭૮
આગમ કથાનુયોગ-૩
થાઉં. પછી આ બાળક દુઃખે કરીને જીવી શકશે. તેમજ રાજલક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે.
તે દુષ્ટ ચિંતવનના ફળરૂપે તે કર્મના દોષથી જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. ત્યારપછી હે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા કલેશથી આજીજી કરીને, કરગરીને ઘણી નવા બાળકને જન્મ આપનારી માતાઓને ઘરેઘરે ફરી, વિનંતી કરી, તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ થયો. તેટલામાં માતાપુત્રનો સંબંધ ટાળનાર મહાભયંકર બાર વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવ્યો. સગાસંબંધીઓનો ત્યાગ કરીને સમગ્ર જનસમૂહ ચાલી નીકળ્યો.
ત્યારે કોઈક દિવસે ઘણાં વખતનો ભૂખ્યો થયેલો, વિષાદ પામેલો તે સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકાને મારી નાંખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ વેચીને વણિક પાસેથી કાંઈક અનાજ ખરીદીને મારા પ્રાણને ધારણ કરું, હવે બીજો કોઈ જીવવાનો ઉપાય મારે માટે રહેલો નથી. અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ, આમ કરવું ઉચિત નથી. પરંતુ જીવતી જ તેને વેંચી નાખુ. ૦ ગોવિંદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી (ભડ્ડીદારિકા) :
એમ વિચારીને સુજ્ઞશિવે તેણીને મહાદ્ધિવાળા, ચૌદ વિદ્યાસ્થાનના પારગામી એવા ગોવિંદ બ્રાહ્મણના ઘેર સુજ્ઞશ્રીને વેંચી દીધી. ત્યારે ઘણાં લોકોના તિરસ્કારના શબ્દોથી ઘવાયેલો તે પોતાના દેશનો ત્યાગ કરીને દેશાંતરમાં ગયો. ત્યાં જઈને હે ગૌતમ! એ જ પ્રમાણે બીજાની કન્યાનું અપહરણ કરી કરીને બીજા સ્થળે વેચી–વેચીને સુજ્ઞશિવે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું.
તે અવસરે દુકાળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ બ્રાહ્મણનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો. હે ગૌતમ ! વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા કુટુંબનો વિનાશકાળ નજીક આવ્યો છે. વિષાદ પામતા મારા બંધુઓ અર્ધક્ષણ પણ જોઈ શકવા સમર્થ નથી. તો હવે અત્યારે મારે શું કરવું ? એમ વિચારતો હતો ત્યાં ગોકુલના સ્વામીની ભાર્યા આવી પહોંચી.
ખાવાના પદાર્થો વેચવા આવેલી તે ગોવાલણ પાસેથી તે બ્રાહ્મણની ભાર્યાએ ડાંગરના માપથી ઘણાં ઘી અને ખાંડમાંથી બનાવેલા ચાર લાડુઓ ખરીદ કર્યા. ખરીદ કરતાં જ બાળકો લાડુ ખાઈ ગયા. મહીયારીએ કહ્યું કે, અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની ડાંગરની પાલી આપી દો, અમારે જલ્દી ગોકુળ પહોંચવું છે.
હે ગૌતમ ! ત્યારપછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા કરી કે અરે ! રાજાએ ભટણામાં જે મોકલ્યું છે, તેમાં જે ડાંગરનું માટલું છે, તેને જલદી શોધી લાવ જેથી આ ગોવાલણને આપું. સુજ્ઞશ્રી ત્યારે માટલું શોધવા ઘરમાં ગઈ, પણ તે તંદુલનું ભાજન જોયું નહીં. ત્યારે બ્રાહ્મણીને કહ્યું કે નથી. ફરી બ્રાહ્મણીએ કહ્યું. અરે ! અમુક ભાજન ઊંચુ કરીને જો, મેં ત્યાં મૂકેલ છે, તે શોધીને લાવ. ફરી તપાસ કરવા માટે આંગણામાં ગઈ અને ન જોયું.
ત્યારે બ્રાહ્મણી જાતે તપાસ કરવા ગઈ, તેના જોવામાં પણ તે ભાજન ન આવ્યું. અતિ વિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેક સ્થળે તપાસવા લાગી. દરમ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org