________________
શ્રમણ કથાઓ
૧૯૯
ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ જે ઉજ્વલ (ઉત્કૃષ્ટ) – થાવત્ – દુસ્સહ હતી. તારા શરીરમાં પિત્તજ્વર વ્યાપી ગયો. તેનાથી તને દાડમ્પર પણ ઉત્પન્ન થઈ ગયો. ૦ મેઘનો ભવ અને ભગવંતનો ઉપદેશ :
હે મેઘ ! ત્યારપછી તું તે ઉત્કટ – યાવત્ – દુસ્સહ વેદનાને ત્રણ રાત-દિવસ પર્યત ભોગવતો રહ્યો. અંતે ૧૦૦ વર્ષની પૂર્ણાયુ ભોગવીને આ જંબૂદ્વીપના ભરતવર્ષમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારિણીદેવીની કુક્ષિમાં કુમારરૂપે ઉત્પન્ન થયો.
ત્યારપછી હે મેઘ ! તું અનુક્રમે ગર્ભવાસથી નીકળી બાલ્યવયનું અતિક્રમણ કરી યુવાવસ્થાને પ્રાપ્ત થઈ, મારી પાસે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક વ્રજ્યા ગ્રહણ કરી છે.
તો હે મેઘ ! જ્યારે તું તિર્યંચ યોનિરૂપ પર્યાયને પ્રાપ્ત હતો અને જ્યારે તને સમ્યકત્વ રત્નનો લાભ પણ પ્રાપ્ત થયો ન હતો તે સમયે પણ પ્રાણાનુકંપા – યાવત્ – સત્યાનુકંપાથી પ્રેરિત થઈને પગને ઊંચો રાખ્યો, નીચે ન મૂક્યો. તો પછી હે મેઘ ! આ જન્મે તો તું વિશાળ કુળમાં જન્મ્યો છે, તને ઉપઘાતરહિત શરીર પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થયેલી પાંચ ઇન્દ્રિયોનું તેં દમન કર્યું છે અને ઉત્થાન, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમથી યુક્ત છો અને મારી પાસે મુંડિત છો, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી છે.
– ત્યારે શ્રમણ નિગ્રંથોના પહેલી અને અંતિમ રાત્રિના સમયે વાચના – યાવત્ – ધર્માનુયોગના ચિંતનને માટે, ઉચ્ચાર-પ્રસવણને માટે આવતા-જતા સમયે તને જે તેના હાથનો સ્પર્શ થયો – યાવત્ – ધૂળ વડે તારું શરીર ભરાઈ ગયું, તેને તું સમ્યક્ પ્રકારે સહન ન કરી શક્યો, ક્ષોભરહિત ખમી ન શક્યો, તિતિક્ષાભાવ રાખી ન શક્યો અને શરીરને નિશ્ચલ ન રાખી શક્યો ? ૦ મેઘને જાતિસ્મરણ અને પુનઃ વ્રત સ્વીકાર :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ વૃત્તાંત સાંભળી–સમજી શુભ પરિણામો – યાવત્ – પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી વેશ્યાઓ અને તદાવરણીય કર્મોના સંયોપશમથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા મેઘકુમાર શ્રમણને સંજ્ઞીજીવોને પ્રાપ્ત થનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, જેના લીધે તેણે પોતાનું વૃત્તાંત સખ્યપ્રકારે જાણી લીધું.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પૂર્વવૃત્તાંત સ્મરણ કરાવાયા પછી મેઘકુમારનો સંવેગ બમણો થઈ ગયો, તેનું મુખ આનંદાશ્રુઓથી પરિપૂર્ણ થઈ ગયું, હર્ષના કારણે હૃદય વિકસ્વર થઈ ગયું, મેઘધારાથી આહત કદંબના ફુલની જેમ તેના રોમ-રોમ ખીલી ઉઠયા, તેણે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવંત ! બંને નેત્રોને છોડીને આજથી મારું શેષ સમસ્ત શરીર શ્રમણ નિગ્રંથોને માટે સમર્પિત છે. આ પ્રમાણે કહીને મેઘકુમાર પુનઃ શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે ભગવન્! મારી ઇચ્છા છે કે, હવે આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org